હોમ ટેસ્ટિંગ કિટ કે ચિંતા વધારતી કિટ? પોઝિટીવ રિપોર્ટની માહિતી સરકારને નથી મળતી!, એક મહિનામાં મેડકિલ એસેસરિઝમાં 80-90 ટકાનો વધારો
કોરોનાની હોમ ટેસ્ટિંગ કિટે વધારી સરકારની ચિંતા!
ICMRની માર્ગદર્શકિા બની સરકાર માટે માથાનો દુખાવો!
હોમ ટેસ્ટિંગના આંકડા નથી પહોંચી રહ્યા સરકાર સુધી
ભારતમાં કોરોનાનું વધતું સંક્રમણ તો સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.પરંતુ તેની સાથે-સાથે હવે કોરોનાનું ટેસ્ટિંગ.અને સંક્રમિતોના સાચા આંકડા મોટી ચિંતા બન્યા છે.છેલ્લા એક મહિનામાં સેફ્લ ટેસ્ટિંગના કિસ્સાઓ તો વધ્યા જ છે.પરંતુ મેડકિલમાંથી જરૂરી દવાઓ અને અન્ય વસ્તુઓની ખરીદી પણ વધી છે.
80 થી 90 ટકા જેટલી કોરોના સંબંધીત દવાઓનું વેચાણ વધ્યું
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બદલાતા હવામાનની અસરથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ તમામ પ્રકારના લક્ષણો એજ છે.જે કોરોનાના હોય છે.. તેવામાં સાવચેતીના ભાગરૂપે અને પોતાની અંદર રહેલા ડરને દૂર કરવા માટે લોકો મોટી સંખ્યામાં કોરોના હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરતા થયા છે.પરંતુ હોમ ટેસ્ટિંગ કિટ હવે સરકાર માટે જ માથાનો દુખાવો બની ગઈ છે.કારણ કે, જે લોકો હોમ ટેસ્ટિંગ કિટથી ટેસ્ટિંગ કરી રહ્યા છે.તેવા લોકો પોઝિટિવ આવ્યા બાદ પણ તેની નોંધ સરકારમાં નથી કરાવી રહ્યા.. સરકારે આ માટે ખાસ એપ પણ બનાવી છે.. પરંતુ તેમાં નોંધણી કરાવવાથી લોકો દૂર ભાગી રહ્યા છે.બીજી તરફ ચિંતાની બાબત એ છે કે, છેલ્લા એક મહિનામાં જ રાજ્યમાં મેડકિલ શોપ પરથી 80 થી 90 ટકા જેટલી કોરોના સંબંધીત દવાઓ અને સામગ્રીઓનું વેચાણ પણ વધ્યું છે.તેવામાં આ વધતી ચિંતા વચ્ચે વીટીવી ન્યૂરો મેડકિલ શોપ પર જઈને સાચી હકીકત પણ જાણવાનો પ્રયાસ કર્યો.
હોમ ટેસ્ટિંગ કિટની ખરીદી માટે આધારકાર્ડ અનિવાર્ય
હોમ ટેસ્ટિંગ કિટથી ટેસ્ટ કર્યા બાદ લોકો કોરોના પોઝિટિવ આવ્યાની માહિતી છપાવી રહ્યા છે.તેવામાં આવા હજારો લોકોને ટ્રેક કરવા સરકાર માટે અશક્ય છે.. જોકે બીજી તરફ સરકારે હવે કોરોના હોમ ટેસ્ટિંગ કિટની ખરીદી માટે આધારકાર્ડ અનિવાર્ય કર્યું છે.જેથી કરીને આવા લોકોની ભાળ મેળવી શકાય.પરંતુ આ રીત પણ સરકાર માટે એક મોટો પડકાર જ છે.ત્યારે આ હોમ ટેસ્ટિંગ અને અન્ય કોરોના લગતી વસ્તુઓ અને દવાઓના વધતા વેચાણ મુદ્દે વીટીવી ન્યૂરો નિષ્ણાત ડોક્ટર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો
શહેરોમાં દર્દીઓની સંખ્યા 100 ગણી વધી ગઈ
હવે સવાલ એ છે કે, અચાનક આ રીતે હોમ ટેસ્ટ કિટનો ઉપયોગ કરનારની સંખ્યા વધી કેવી રીતે ગઈ...? તો તેનો જવાબ એ છે કે, ઓમિક્રોન ગુજરાતમાં અપેક્ષા કરતાં વધારે ઝડપથી ફેલાયો છે.. અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં દર્દીઓની સંખ્યા 100 ગણી વધી ગઈ છે.. જોકે હોમ ટેસ્ટિંગ કિટનું પ્રમાણ વધવા પાછળનું કારણ એ પણ છે કે, ટેસ્ટિંગ લેબમાં દબાણ વધતા દર્દીનો રિપોર્ટ 2 થી 3 દિવસે આવે છે. જ્યારે હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને રેપિડ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ 10થી 15 મિનિટમાં જ આવી જાય છે. અને આજ કારણે હજારો લોકો હવે ઘરે જ ટેસ્ટિંગ કરીને સારવાર લઈ રહ્યા છે.. જેથી તેમના આંકડા બહાર નથી આવતા.. અને સરકાર સુધી સાચી માહિતી નથી પહોંચતી..