ગત 24 કલાકમાં ભારતમાં 37 હજાર 379 નવા કેસ આવ્યા અને 124 લોકોના મોત થયા, તો ગુજરાતમાં આજે 2265 કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે
ગુજરાતમાં કોરોના કેસોએ સ્પીડ પકડી
આજે કેસ નવા નોંધાતા હંડકપ
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2265 કેસ કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.
જિલ્લા પ્રમાણે કોરોનાના કેસ
જો કોરોના કેસની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ 1314 કેસ સાથે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. સુરત 424 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર પર સવાર થઈ ગયું છે. વડોદરામાં 94, રાજકોટમાં 57 કેસ, ગાંધીનગરમાં 35, જામનગરમાં 23 કેસ, જૂનાગઢમાં 12, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37,ખેડામાં 34, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24, નવસારીમાં 18, મહેસાણામાં 14 કેસ, પંચમહાલમાં 14, વલસાડમાં 9, બનાસકાંઠામાં 6 કેસ, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દ્વારકામાં 4 કેસ, મહીસાગરમાં 4, અમરેલી 3, ગીર સોમનાથમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દાહોદમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 1 કેસ કોરોનાનો નોંધાયો છે.
આજે ઓમિક્રોનના 2 કેસ
આજે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે. જે બંને કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવતા ગુજરાતમાં ઓમિક્રોન કેસનો આંકડો કુલ 154 પર પહોંચ્યો છે. 154 પૈકી 96 દર્દીઓ સાજા થઈ ઘરે હેમખેમ પરત ફર્યા છે.
રાજ્યના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86એ પહોંચી
અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. આ સાથે અમદાવાદ શહેરની વિવિધ 21 સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.
ભારતમાં કોરોનાનો ભરડો
ભારતમાં વધ્યો કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 37,379 કેસ નોંધાયા, જ્યારે 11,007 દર્દીઓ થયા સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાને કારણે 124 લોકોનો મોત થયા. દેશમાં અત્યારસુધી 3 કરોડ 49 લાખ 60 હજાર 261 કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસો 1 લાખ 71 હજાર 830 પર પહોંચ્યા,દેશમાં સ્વસ્થ કેસોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 4 લાખ 82 હજાર 17 મોત નીપજ્યા છે. દેશમાં કુલ 1 અબજ 46 કરોડ 70 લાખ 18 હજાર 464 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.