ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત આજે 1259 કેસ નોંધાયા, ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ બહાર આવ્યા
ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો
રાજ્યમાં 1259 આજે કોરોના કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. આજ સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. કોરોનાને માત આપીને કુલ 151 દર્દી ઘેર પરત ફરતા હવે એક્ટિવ કેસની સંખ્યાં 5858 પહોચી ગઈ છે. આજે કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા જોવા મળ્યો છે
કોરોનાના જિલ્લા પ્રમાણે કેસ
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 644 કેસ સાથે કોરોના હોટસ્પોટ બની ગયું છે. સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, જામનગરમાં 17 કેસ, ભાવનગરમાં 18 કેસ,વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ,ખેડામાં 24 કેસ, ભરૂચમાં 16 કેસ, નવસારીમાં 16 કેસ નોંધાયા, મહેસાણા અને મોરબી જિલ્લામાં 12-12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, તાપીમાં 3 કેસ, દ્વારકામાં 2 કેસ, બનાસકાંઠા, દાહોદ, પોરબંદર, જુનાગઢ અને અરવલ્લીમાં એક કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યો છે.
ઓમિક્રોનના વધુ 16 કેસ
આજે ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 16 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ તેમજ કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 85 દર્દીઓ સાજા થયા છે. સારા સમાચાર એ છે કે ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી
15 થી 18 વર્ષના તરુણોને રસી આપવાનો કાર્યક્રમ શરૂ
રાજ્યમાં તરુણોમાં રસીકરણનો પ્રારંભ થયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં જોરશોરથી રસીકરણનો પ્રારંભ થયો છે. 15 થી 18 વર્ષના તરુણોને રસી આપવામાં આવી રહી છે. મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જેમને અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા છે. આ તરફ વડોદરામાં એક દિવસમાં 20 હજાર તરુણોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં 79 સેન્ટર પર રસી આપવામાં આવશે. શહેરમાં 96 હજાર તરુણોને રસી આપવાની છે. તો આ તરફ ગાંધીનગરમાં શેઠ જે.એમ ચૌધરી સ્કૂલમાં રસીકરણનો આરંભ થયો હતો.
રાજ્યભરમાં બાળકોના રસીકરણની કામગીરી પુરજોશમાં શરૂ
પ્રથમ દિવસે 5 લાખ 34 હજાર 710 બાળકોને રસીનો ડોઝ
અલગ અલગ જિલ્લાના કુલ 5.34 લાખ બાળકોને રસી અપાઈ
દેશ કોરોનાની ત્રીજી લહેર સવાર
એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે. એક દિવસમાં માત્ર 10, 846 લોકો જ રિકવર થયા છે. જ્યારે 123 લોકોના મોત થયા છે. નવા કેસોની સરખામણીએ રિકવરી બહું ઓછી હોવાના કારણે એક્ટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશમાં સક્રિય મામલાના આંકડામાં તેજી થી વધતા 1, 45, 582 થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ચાલતા 4, 81, 893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.