ભારતમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,72,433 નવા કેસ નોંધાયા, તો આજે ગુજરાતમાં 7,606 કેસ સામે આવતા તંત્ર ફરી એલર્ટ
ગુજરાતમાં ધીરે ધીરે વધી રહ્યો છે કોરોના
આજે છેલ્લા 24 કલાકમાં 7,606 કેસ પોઝિટિવ
ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 7,606 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3,118કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 227 કેસ તો રાજકોટ શહેરમાં 238 કેસ, વડોદરા શહેરમાં 1,127કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 354 કેસ, ભાવનગર શહેરમાં 65 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 34 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 13,195 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63,564 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં મૃત્યુઆંક હજારથી ઉપર
ભારતમાં આજે કોરોનાવાયરસના કેસો ગઈકાલની તુલનામાં આજે કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,72,433 નવા કેસ નોંધાયા છે અને 1008 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15 લાખ 33 હજાર 921 થઈ ગઈ છે. તો કોરોનાનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 98 હજાર 983 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 81 હજાર 109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 97 લાખ 70 હજાર 414 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.