દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,013 કેસ નોંધાયા તો આજે ગુજરાતમાં માત્ર 117 કેસ આવતા કોરોના ઠંડીની માફક શિવ શિવ કરતો ગયો
ગુજરાત કોરોના કેસ નહિવત માત્ર
આજે છેલ્લા 24 કલાકમાં 117 નોંધાયા કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 117 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લીધે 02 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1820 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 22 દર્દીઓ વેન્ટિલેટર પર છે.ચાર જિલ્લામાં કોરોના કેસ સતત 6 દિવસથી શૂન્ય આવતા તે કોરોના મુક્ત થઈ ગયા છે. જેમાં જુનાગઢ, બોટાદ, પોરબંદર, નર્મદાનો સમાવેશ થાય છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
દેશમાં 2 મહિના બાદ 10 હજાર નીચે કેસ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે લગભગ સમાપ્ત થઇ ગયો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8,013 કેસ નોંધાયા છે અને 119 સંક્રમિત લોકોના મોત થયા છે. જો કે અહીં સારી બાબત એ છે કે છેલ્લાં 24 કલાકમાં 16,765 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે 8871 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ પહેલાં ગયા વર્ષે 29 ડિસેમ્બરે 9195 કોરોનાના કેસ સામે આવ્યાં હતાં.
અત્યાર સુધી દેશમાં કુલ ચાર કરોડ 29 લાખ 24 હજાર 130 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 5 લાખ 13 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા લગભગ 1 લાખ થઇ ગઇ છે. કુલ 1 લાખ 2 હજાર 601 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે કે જેઓની હાલમાં સારવાર ચાલી રહી છે.