છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 10 હજાર 273, આજે ગુજરાત 162 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાના કેસમાં અસ્ત થવાને આરે
આજે છેલ્લા 24 કલાકમાં 162 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 26 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 162 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લીધે 02 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 386 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2049 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
અમદાવાદમાં 79 કેસ, વડોદરામાં 35 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરતમાં 9 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, જામનગરમાં 3 કેસ, ભાવનગર અને જુનાગઢમાં એકપણ કેસ નહી, આણંદમાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, દાહોદમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, કચ્છમાં 2 કેસ, તાપીમાં 2 કેસ, અમરેલીમાં એક કેસ, દ્વારકામાં એક કેસ, ગીર સોમનાથ અને મહીસાગર જિલ્લામાં એક-એક કેસ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં એક-એક, સાબરકાંઠા અને વલસાડ જિલ્લામાં પણ એક-એક કેસ કોરોનાનો નોંધાયો છે. આજે રાજ્યમાં 28,118 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે.
કોરોનાની ચોથી લહેરની ભવિષ્યવાણી
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે ચોથી લહેરની ભવિષ્યવાણી સામે આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે.કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ સાથે જ વેક્સિનેશનની સ્થિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સનું કહેવુ છે કે, કોવિડ 19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ સાંખ્યિકી ભવિષ્યવાણી 24 ફેબ્રુઆરીએ પલ્બિશ કરવામાં આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચોથી લહેરની પીક 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પીક પર પહોંચશે. ચોથી લહેર 22 જૂનથી શરૂ થઈ શકે. તે 23 ઓગસ્ટએ પોતાના પીક પર આવી શકે છે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે.