ભારતમાં ગત 24 કલાકમાં 3.06 લાખ કેસ નોંધાયા તો આજે ગુજરાતમાં ફરી નવા 13,805 કેસનો ઉછાળો
ગુજરાતમાં કોરોનાનું તાંડવ યથાવત
આજે છેલ્લા 24 કલાકમાં 13,805કેસ નોંધાયા
ગુજરાતમાં ત્રીજી લહેરમાં આવતા કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13,805 કેસ કોરોના પોઝિટિવ આવતા લોકો સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4361 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1136 કેસ તો રાજકોટ શહેરમાં 889 કેસ, વડોદરા શહેરમાં 2534 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 325 કેસ, ભાવનગર શહેરમાં 295 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનો ફરી ભયવાહ રીતે વકર્યા હોય તેવુ લાગી રહ્યું છે. તો કોરોનાને લીધે 25 લોકોના મોત થયા છે. જ્યારે 13,469 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,35,148 સુધી પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 284 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કોરોનાથી કુલ 10,274 દર્દીના મૃત્યુ થયા છે તો આજે રાજ્યમાં 1,70,290 લોકોનું રસીકરણ થયું છે તો અત્યાર સુધી કુલ 9.65 કરોડ વેક્સિન ડોઝ આપી દેવામાં આવ્યા છે.
ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર
આજે કોરોના કેસોમાં ગત સપ્તાહની સરખામણીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પણ ચિંતાજનક સમાચાર એ છે કે આજે ત્રીજી લહેરના સૌથી વધુ 25 મોત આજે કોરોનાના લીધે થયા છે. તેમાં સૌથી અમદાવાદમાં 6 મોત, વડોદરામાં 3, સુરતમાં 4, રાજકોટમાં 2, ભાવનગરમાં 1, કચ્છમાં 1, મહેસાણમાં 1, વલસાડ 1 તો જામગનગરમાં 3, પંચમહાલમાં 1 તો ભાવનગરમાં પણ 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.
દેશમાં કોરોનાની સુનામી યથાવત
ભારતમાં ગત 24 કલાકમાં 3.06 લાખ કેસ સામે આવ્યા છે. જો કે આ રવિવારની સરખામણીમાં 27 હજાર ઓછા છે. આની પહેલા રવિવારે કોરોનાના 3.33 લાખ કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 439 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો.દેશમાં ગત 24 કલાકમાં કોરોનાથી 2, 43, 495 સાજા થયા છે. અત્યાર સુધી 3, 68, 04, 145 લોકોના સાજા થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં 22, 49, 335 એક્ટિવ કેસ છે. આ 5.69 ટકા રિકવરી રેટ 93.07 ટકા છે.કર્ણાટકમાં ગત 24 કલાકમાં કોરોનાના 50, 210 નવા કેસ મળ્યા છે.જ્યારે મહારાષ્ટ્રમાં ગત 24 કલાકની અંદર 40, 805 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.