ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાનો પ્રકોપ યથવાત છે. છેલ્લા 24 કલાકમાં 16,617 કેસ કોરોના પોઝિટિવ આવતા બીજી લહેરના ભયવાહ દ્રશ્યો લોકોની આંખ સામે તરી રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 6191 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1512 કેસ તો રાજકોટ શહેરમાં 410 કેસ, વડોદરા શહેરમાં 2876 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 398 કેસ, ભાવનગર શહેરમાં 399 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. તો કોરોનાને લીધે 19 લોકોના મોત થયા છે. જ્યારે 11,636 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,34,837 સુધી પહોંચી જતા ચિંતા મોજું ફરી વળ્યું છે. હાલ 258 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 10249 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે આજે રવિવાર હોવાના કારણે ટેસ્ટિંગ પણ ઓછા થયા હોવાથી ગઈ કાલ કરતાં આજના કેસોમાં મોટો ઘટાડો આવ્યો છે.હાલ 258 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 10249 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
ભારત આખાયમાં કોરોનાનો ભરડો
ભારતમાં કોરોના વાયરસની ખતરનાક ત્રીજી લહેરમાં દરરોજ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા ત્રણ લાખ 33 હજાર કેસ નોંધાયા છે જ્યારે 533 દર્દીઓ વાયરસ સામેની લડાઈ હારી ગયા અને જીવ ગુમાવ્યો છે. ભારતમાં ચિંતાની બાબત છે કે પોઝિટીવીટી રેટ વધીને 17.78 પર પહોંચી ગયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 21 લાખ 87 હજારને પાર જતી રહી છે.
હવે સ્થાનિક સ્તરે કોરોનાની દસ્તક
ઓમિક્રોન વેરિયન્ટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. આખરે જેની રાહ જોતા હવે તે ભય સાચો પડ્યો છે. ભારતમાં હવે ઓમિક્રોન સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળની સંસ્થા INSACOGએ તેના એક લેટેસ્ટ બુલેટિનમાં એવું જણાવ્યું છે કે ભારતમાં હવે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ (સ્થાનિક સંક્રમણ) શરુ થયો છે. સંસ્થાએ કહ્યું કે દેશના ઘણા મહાનગરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નવા કેસમાં ઝડપી વધારો આવી રહ્યો છે.