ભારતમાં કોરોનાના ગત 24 કલામાં 3.37 લાખ કેસ સામે આવ્યા, તો આજે ગુજરાતમાં નવા 23,150 કેસ સામે આવતા ચિંતા યથાવત
ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો
આજે છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો કોરોનાને લીધે 15 લોકોના મોત થયા છે. જ્યારે 10103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,29, 875 સંખ્યા સુધી પહોંચી ગઈ છે
કેસની સાથે મોતનો આંકડો પણ વધ્યો
ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે સાથે ધીમે ધીમે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે કૂલ 15 દર્દી મોતને ભેટયા છે. જેમાં સૌથી વધુ 6 મોત પણ અમદાવાદમાં જ થયા છે. સુરતમાં 4, રાજકોટમાં 1, ભાવનગર 3, નવસારી 1 મોત કોરોનાના લીધે થયું છે.
કોરોના કેસના દૈનિક આંકડામાં દેશમાં 5 નંબર પર ગુજરાત
ભારતમાં કોરોનાના ગત 24 કલામાં 3.37 લાખ કેસ સામે આવ્યા છે. સતત આ ત્રીજો દિવસ છે. જ્યારે કોરોનાના દેશમાં 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 લાખ થઈ છે.ગત 24 કલાકમાં દેશમાં કોરોનાથી 488 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 4, 88, 884 લોકોના મોત થયા છે. દેશમાં 5 સૌથી વધારે સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 48, 270 કેસ સામે આવ્યા છે. આ બાદ કર્ણાટકમાં 48, 049, કેરળમાં 41,668 કેસ, તમિલનાડુમાં 29,870 કેસ, ગુજરાતમાં 21 225 કેસ સામે આવ્યા છે.
ગઇકાલે નોંધાયેલા કેસની વિગત(21 જાન્યુઆરી 2022)
રાજ્યમાં શુક્રવારે કોરોનાના 21,225 નવા કેસ નોંધાયા હતા.તેમજ 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા હતા. ગઈ કાલે ત્રીજી લહેરના સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 2, સુરત ગ્રામ્યમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, ખેડામાં 1 અને ભાવનગર ગ્રામ્યમાં 1 દર્દીનું મોત થયું હતું.