ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.61 લાખ કેસો, તો આજે ગુજરાતમાં નવા 8,934 કેસ સામે આવતા ફરી ચિંતાનું મોજું
ગુજરાતમાં કોરોના ફરી વકર્યો
છેલ્લા 24 કલાકમાં 8,934 કેસ પોઝિટિવ
ગુજરાતમાં ફરી કોરોના ધીરે ધીરે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8,934 કેસ કોરોના પોઝિટિવ આવતા ફરી ઉછાટ મારી હોય તેવા એંધાણ છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3309 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 265 કેસ તો રાજકોટ શહેરમાં 320 કેસ, વડોદરા 1512 શહેરમાં કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 279 કેસ, ભાવનગર શહેરમાં 97 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 15,177 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 69,187 સુધી પહોંચી ગઈ છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
આજે અમદાવાદમાં 3368 કેસ, વડોદરામાં 1921 કેસ, રાજકોટમાં 478 કેસ, ગાંધીનગરમાં 431 કેસ, સુરતમાં 513 કેસ, જામનગરમાં 98 કેસ, જુનાગઢમાં 44 કેસ, ભાવનગરમાં 105 કેસ , મહેસાણા 227 કચ્છ 224 ભરૂચ 222 કેસ, પાટણ 189 બનાસકાંઠા 146 આણંદ 142 કેસ, ખેડા 129 સાબરકાંઠા 95 મોરબીમા 94 કેસ, વલસાડ 86 નવસારી 78 પંચમહાલ 62 કેસ,તાપી 55 અમરેલી 53 સુરેન્દ્રનગર 33 કેસ, દાહોદ 32 ગીર સોમનાથ 32 જુનાગઢ 30, ડાંગ 17 અરવલ્લી 13 છોટાઉદેપુર 12, નર્મદા 11 મહિસાગર 8, પોરબંદર 5, બોટાદ 04 કેસ કોરોના સામે આવ્યા છે.246 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે આજના 34 સાથે અત્યાર સુધી રાજ્યમા કુલ 10545 દર્દીના નિધન કોરોનાને લીધે થઈ ચૂક્યા છે.
દેશમાં ઘણા દિવસ બાદ 2 લાખની નીચે ગયો કોરોનાનો આંકડો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.61 લાખ કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 2.81 લાખ લોકો સાજા પણ થયા છે, જો કે, આ દરમિયાન 1733 લોકોના મોત પણ થયા છે. સતત બીજો દિવસ છે, જ્યારકે કોરોનાથી 1000થી વધારે લોકોના મોત થયા છે. આ અગાઉ મંગળવારે 1192 લોકોએ કોરોનાથી દમ તોડ્યો હતો.કોરોનાના કેસ સતત ઓછા થઈ રહ્યા છે, પણ ચિંતાની વાત એ છે કે, સતત પાંચમા દિવસ મોતના આંકડામાં વધારો થયો છે. દેશમાં મંગળવારે 1192 તો સોમવારે 959 લોકોના મોત થયા હતા. તો વળી રવિવારે પણ 893 લોકોના મોત અને શનિવારે 871 દર્દીઓને દમ તોડ્યો હતો.બુધવારે 1.61 લાખ કેસ આવ્યા હતા. આ અગાઉ મંગળવારે 1.67 લાખ કેસ, સોમવારે 2.09 લાખ કેસ આવ્યા હતા. તો વળી રવિવારે 2,34,281 નવા કેસો આવ્યા હતા. શનિવારે કોરોનાથી સંક્રમિત 235532 કેસો નોંધાયા હતા. કાલની સરખામણીએ 3.4 ટકા કેસો ઓછા આવ્યા છે.