ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે તો આજે ગુજરાતમાં 12753 કેસ રોકેટ ગતિએ સામે આવ્યા છે
ગુજરાતમાં કોરોના કેસોનો ચિંતાજનક વધારો
આજે ગુજરાતમાં નવા 12753 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા
ગુજરાતમાં કેસ એકી શ્વાસે એક જ ધારા રોજે રોજ લોકોના શ્વાસ અધ્ધર કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12753 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ સાબદું થઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 4340 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2955 કેસ તો રાજકોટમાં 461 કેસ, વડોદરામાં 1207 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 212 કેસ, ભાવનગરમાં 202 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 5 લોકોના મોત થયા છે જ્યારે 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 70,374 સુધી પહોંચી ગયા છે.
અમદાવાદ શહેરમાં 4340 કેસ, ગ્રામ્યમાં 69 કેસ
સુરત શહેરમાં 2955 કેસ, ગ્રામ્યમાં 464 કેસ
વડોદરા શહેરમાં 1207 કેસ, ગ્રામ્યમાં 106 કેસ
રાજકોટ શહેરમાં 461 કેસ, ગ્રામ્યમાં 120 કેસ
ગાંધીનગર શહેરમાં 212 કેસ, ગ્રામ્યમાં 96 કેસ
જામનગર શહેરમાં 210 કેસ, ગ્રામ્યમાં 55 કેસ
ભાવનગર શહેરમાં 202 કેસ, ગ્રામ્યમાં 32 કેસ
વલસાડમાં 340 કેસ, નવસારી 300 કેસ
ભરૂચમાં 284 કેસ, મોરબીમાં 182 કેસ
મહેસાણામાં 152 કેસ, કચ્છમાં 149 કેસ
પાટણમાં 122 કેસ, ખેડામાં 102 કેસ
બનાસકાંઠામાં 91 કેસ, સુરેન્દ્રનગરમાં 75 કેસ
ગીર સોમનાથમાં 51 કેસ, આણંદમાં 44 કેસ
અમરેલીમાં 43 કેસ, દ્વારકામાં 41 કેસ
નર્મદામાં 35 કેસ, દાહોદમાં 31 કેસ
પંચમહાલમાં 31 કેસ, મહીસાગરમાં 20 કેસ
સાબરકાંઠામાં 20 કેસ, પોરબંદરમાં 19 કેસ,
તાપીમાં 19 કેસ, બોટાદમાંે 2 કેસ
અરવલ્લીમાં 1 કેસ, છોટાઉદેપુરમાં 1 કેસ
ડાંગમાં આજે એકપણ કેસ નહી
જૂનાગઢ શહેરમાં 59 કેસ, ગ્રામ્યમાં 10 કેસ
ભારતમાં 2,58,089 નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. અને કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે. દેશમાં આજે કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,56,341 છે. જ્યારે રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા 3,52,37,461 છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં કારણે 4,86,451 લોકોના મોત થયા છે.પણ આ સામે રાહતની વાત એ પણ છે કે કુલ રસીકરણનો આંકડો 1,57,20,41,825 પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ 8,209 પહોંચી ગયા છે. ચિંતાની વાત એ છે કે રિકવરી રેટ પણ ઘટીને 94.27 ટકા પર આવી ગયો છે.ગઇકાલ કરતાં કેસની સંખ્યા પણ 13 હજાર જેટલી ઘટી છે.