દેશમાં છેલ્લાં 24 કલાકમાં 27,409 નવા કોરોનાના કેસો, તો આજે ગુજરાતમાં કોરોના 9,98 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 9,98 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 9,98 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 366 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 38 કેસ તો રાજકોટ શહેરમાં 20 કેસ, વડોદરા શહેરમાં 162 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 36 કેસ, ભાવનગર શહેરમાં 10 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2454 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,195 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 77 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
દેશમાં કોરોના કેસોમાં ધરખમ ઘટાડો
કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 50 હજારથી ઓછા સામે આવ્યાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 27,409 નવા કોરોનાના કેસો સામે આવ્યાં છે અને 347 સંક્રમિતોના જીવ ગયા છે. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 34113 નવા કેસો સામે આવ્યાં હતા. કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ 4 કરોડ 26 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 5 લાખ 9 હજાર 358 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4 કરોડ 17 લાખ 60 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી ઓછી છે. કુલ 4 લાખ 23 હજાર 127 લોકો હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.