દેશમાં પણ કોરોનાની લહેર કાબૂમાં આવી ભારતમાં 44,877 નવા કેસો નોંધાયા, આજે ગુજરાતમાં નવા 1,274 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં 3જી લહેર ઠંડી પડી
આજે નવા કોરોના 1,274 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસો જેટલી ઝડપથી વધ્યા તેટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,274 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 36 કેસ તો રાજકોટ શહેરમાં 21 કેસ, વડોદરા શહેરમાં 257 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 28 કેસ, ભાવનગર શહેરમાં 4 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3022 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14211 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે
ભારતમાં 50 હજારની નીચે કોરોના કેસ
ભારતમાં કોરોના સંક્રમણ મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેર આવતા બગડેલી સ્થિતીમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. આંકડા મુજબ આજે દેશભરમાં સંક્રમણના 44,877 નવા કેસો સામે આવ્યા છે. જે બાદ કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,26,31,421 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 684 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મરનારા લોકોનો કુલ આંક 5,08,665 પર પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5.37 લાખ થઈ ગયા છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સંક્રમણથી 1,17,591 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ કોરોનાથી અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 4,15,85,711 થઈ ગઈ છે. તો વળી એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 5,37,045 થઈ ગઈ છે.