ગુજરાતમાં કોરોના કેસો જેટલી ઝડપથી વધ્યા તેટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,646 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 546 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 46 કેસ તો રાજકોટ શહેરમાં 57 કેસ, વડોદરા શહેરમાં 281 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 48 કેસ, ભાવનગર શહેરમાં 12 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3955 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,972 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 50 હજાર કેસ
કોરોનાની ત્રીજી લહેરના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 50407 કેસ સામે આવ્યા છે. સાથે 804 દર્દીના મોત પણ નિપજ્યા હતા. દેશભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,10,443 પર પહોંચી છે. કોરોનાના કારણે અત્યાર સુધી 5,07,981 લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ગુરૂવારે દેશમાં કુલ 58,077 કોરોના કેસ સામે આવ્યા હતા. જેથી એક દિવસમાં 8 હજાર કેસનો ઘટાડો નોંધાયો છે.