કોરોના વાયરસ અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજના કેસ પણ ચોંકાવનારા...
કોરોનાના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં આજે કોરાનાના વધુ 1069 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 103 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3927 થઈ
કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ
ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. આજે કેસ એક હજારને પાર પહોંચ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 1069 નવા કેસ નોંધાયા છે. જ્યારે 103 દર્દીઓ સાજા થયા છે, જોકે એક દર્દીનું મોત થયું. તો હાલ રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 11 દર્દીઓ છે અને 3916દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા જેટલો છે. આજે 152072 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818755 દર્દીઓ સાજા થયા અને 10119 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,95,87,417 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે. અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા કોરોનાના કેસ ? : ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. તો સુરતમાં 164, રાજકોટમાં 61, ગાંધીનગરમાં 26, જામનગરમાં 7, ભાવનગરમાં 4 અને જુનાગઢમાં 7 કેસ નોંધાયા છે. તો આણંદમાં 39, ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, નવસારીમાં 9, મોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 6, સાબરકાંઠામાં 6, અમરેલીમાં 4, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, મહેસાણામાં 3, મહીસાગરમાં 2, તાપીમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.
આ જિલ્લામાં નથી નોંધાયો કેસઃ તો અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
ગુજરાત ઓમિક્રોન અપડેટ(1-1-2022)
ગુજરાતના ઓમિક્રોન વેરિયન્ટના 23 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 136 કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 65 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં ઓમિક્રોનને લઇને અત્યાર સુધીમાં એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું.
ગુજરાતમાં આજે અમદાવાદ શહેરમાં 11, સુરત શહેરમાં 4, આણંદમાં 2, વડોદરા શહેરમાં 2, કચ્છમાં 2, ખેડામાં 1 અને રાજકોટમાં 1 ઓમિક્રોન કેસ નોંધાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ જરૂર જણાયે ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેકટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું. રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો
રાજ્યમાં ૯૦ ટકા વસ્તીને વેક્સિનેશન ડોઝ કવચ અપાઇ ગયું છે
આગામી ત્રીજી જાન્યુઆરીથી રાજ્યના ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઇવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૯૪ કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના ૯૦ ટકાનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે.
રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને તેમણે આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાતમાં ગઇકાલે 654 કોરોનાના કેસ નોંધાયા હતા
ગુજરાતમાં ગઇકાલે 24માં કોરોના વાયરસના નવા 654 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 63 દર્દીઓ સાજા થયા હતા, જોકે એકપણ દર્દીનું મોત ન હતું. રાજ્યનો રિકવરી રેટ 98.43 ટકા જેટલો નોંધાયો હતો. જ્યારે 188125 લોકોનું વેક્સિનેશન થયું હતું. તો અમદાવાદમાં રાજ્યના અડધા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ગઇકાલે 16 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા
ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના 16 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 3, આણંદમાં 3, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1 અને જૂનાગઢ શહેરમાં 1 ઓમિક્રોનનો દર્દી નોંધાયો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં 113 ઓમિક્રોનના કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ 54 દર્દી સાજા થઇ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.