ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાનાં દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ આવી ગયું હતું. સમગ્ર ભારતમાં અમદાવાદની કોરોના કેપિટલ તરીકેની ઓળખ થઇ હતી
ફક્ત ૩ર દિવસમાં કોરોનાના વધુ ૧૦,૦૦૦ કેસ
ગત તા.૧૪ ઓક્ટોબરની સ્થિતિએ ૪પ ટકા પથારી ખાલી છે
સંજીવની વાનથી રોજના ૭૦૦થી વધુ દર્દીની સારવાર થવા લાગી
અમદાવાદ જમાલપુર સહિતનો કોટ વિસ્તાર, મણિનગર, ગોમતીપુર સહિતના દસ વોર્ડને કોરોનાના રેડ ઝોન તરીકે જાહેર કરાયા હતા. દિલ્હીથી કેન્દ્રીય ટીમ અમદાવાદની મુલાકાતે દોડી આવી હતી, તેમાં પણ અસારવા સિવિલ હોસ્પિટલમાં સતત વધતા જતા મૃત્યુઆંકથી લોકો ભયભીત બન્યા હતા. તે સમયે આખા ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૭૦ ટકા કેસ અને મૃત્યુઆંકનાં ૮૦ ટકા મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાતાં હતાં, પરંતુ મ્યુનિ. તંત્રની કોરોના સામેના જંગની આક્રમક રણનીતિથી કોરોનાનું તોફાન ઓછું થયું છે. અમદાવાદીઓમાં પણ કોરોનાને હંફાવીશું તેવો આત્મવિશ્વાસ જાગ્યો છે.
હવે જો લોકો નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં માસ્ક પહેરવંુ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું વગેરે બે-ત્રણ મહત્ત્વની બાબતો પર જાગૃતિ દાખવશે તો ચોક્કસ કોરોના વિરુદ્ધની છ મહિનાથી વધુ લાંબી લડતમાં વધુ સફળતા હાંસલ થશે.
ફક્ત ૩ર દિવસમાં કોરોનાના વધુ ૧૦,૦૦૦ કેસ
શહેરમાં ગત તા.૧૬થી ૩૦ એપ્રિલ સુધીમાં કોરોનાના નવા રપ૮૧ કેસ થતાં એપ્રિલમાં કોરોનાના કેસનો આંકડો ર૯૯૬ થયો હતો. ગત તા.ર૩ મેએ કોરોનાના ૧૦,૦૦૦ કેસ થયા હતા. ત્યારબાદ ફક્ત ૩ર દિવસમાં કોરોનાના વધુ ૧૦,૦૦૦ કેસ થતાં શહેરમાં ગભરાટ ફેલાયો હતો, જોકે મધ્ય ઝોનમાં તંત્રના આક્રમક સર્વેલન્સ, આક્રમક ટેસ્ટિંગથી કોરોનાના કેસ ઘટ્યા હતા. ગત તા.૧૭ મેથી ધનવંતિર રથને મધ્ય ઝોનમાં ફરતા મૂકી દેવાતાં કોરોના કાબૂમાં આવ્યો હતો, બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા, જોકે તંત્રના કોરોના સામેના બહુઆયામી અભિગમથી દેશભરમાં ‘અમદાવાદ મોડલ’ની ચર્ચા થઇ હતી.
સંજીવની વાનથી રોજના ૭૦૦થી વધુ દર્દીની સારવાર થવા લાગી
અમદાવાદ મોડલ હેઠળ શહેરનાં તમામ ૭૪ અર્બન હેલ્થ સેન્ટરને સંજીવની વાન સાથે સાંકળી લેવાયાં, ડોક્ટર મિત્ર યોજનાનો દર્દીને લાભ મળવા લાગ્યો. કોરોનાના એસિપ્ટોમેટિક દર્દીની ઘર તપાસ માટેની કોરોના ઘર સેવા, સંજીવની વાનથી રોજના ૭૦૦થી વધુ દર્દીની સારવાર થવા લાગી.
આ ઉપરાંત ગત તા.૬ જુલાઇથી રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત કોરોનાના કેસની વધ-ઘટના આધારે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા અને કમિશનર મુકેશકુમારે કરતાં કોરોનાના સંક્રમણ પર સૂક્ષ્મ નજર રહેવા લાગી છે. તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માટે તેમના વિસ્તારના માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની મુલાકાત લેવાનું ફરિજયાત કરી દેવાયું છે.
શહેરમાં ફરતા ૧રપ ધનવંતિર રથમાં એન્ટીજન રેપિડ ટેસ્ટની સુવિધા પણ શરૂ કરાઇ
શહેરમાં ફરતા ૧રપ ધનવંતિર રથમાં એન્ટીજન રેપિડ ટેસ્ટની સુવિધા પણ શરૂ કરાઇ છે. આઉટસાઈડર્સમાં કોરોનાનું સંક્રમણ શોધી કાઢવા શહેરના એન્ટ્રી પોઇન્ટની ચેકપોસ્ટ, ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન વગેરેની ચેકપોસ્ટ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડવા બદલ તંત્રની રૂ.ચાર કરોડ જેટલા દંડની વસૂલાતની રણનીતિ કોરોના પર કાબૂ મેળવવામાં અપનાવાઇ રહી છે.
શહેરનાં ૧૦૦ જેટલાં જાહેર સ્થળોએ એન્ટીજન ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા
ગત તા.ર૪ ઓગસ્ટે કોરોનાના કેસ ઘટતાં તંત્રે મ્યુનિ. તિજોરી પરનું ભારણ ઘટાડવા કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલની ૧,૦૦૦ પથારી પણ દૂર કરી હતી. એન્ટીજન ટેસ્ટ, ત્યારબાદ એચઆરસીટી ટેસ્ટ અને છેલ્લે આરટીપીસીઆર ટેસ્ટના ત્રિપાંખિયા વ્યૂહથી કોરોનાના દર્દીની ઓળખ સરળ બની છે. શહેરનાં ૧૦૦ જેટલાં જાહેર સ્થળોએ એન્ટીજન ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા હોઇ લોકોને તે કોરોનાનો ડર ભગાડવા માટે આશીર્વાદરૂપ બન્યા છે.
અગાઉ ૧૦૦ લોકોના ટેસ્ટ કરાતાં ૩પ પોઝિટિવ રિપોર્ટ આવતા હતા
અગાઉ ૧૦૦ લોકોના ટેસ્ટ કરાતાં ૩પ પોઝિટિવ રિપોર્ટ આવતા હતા તે ઘટીને હવે ર.પ પોઝિટિવ રિપોર્ટ થયા છે. આ અમદાવાદ મોડલના ‘ચેઝ ધી કોરોના’ના આક્રમક અભિગમને આભારી હોવાની પણ ચર્ચા છે. મેડિકલના વિદ્યાર્થીઓની પણ કોરોના સામેની લડતમાં મદદ લેવાઇ રહી છે, જેમાં મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ગત તા.૧ર ઓક્ટોબરના ઓફિસ ઓર્ડરથી ડેન્ટલના વિદ્યાર્થીઓનો ઉમેરો કર્યો છે. બોપલ અને ભાડજની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ પણ હવે કોરોનાનું સંક્રમણ રોકવા તેમનો ફાળો આપશે.
ગત તા.૧૪ ઓક્ટોબરની સ્થિતિએ ૪પ ટકા પથારી ખાલી છે
ગત તા.૧ ઓક્ટોબરે શહેરમાં કોરોનાના કુલ ૩૪,૪૦૩ કેસ અને કોરોનાથી ૧૭૬૯ મૃત્યુ નોંધાયાં હતાં, જે ગત તા.૧૪ ઓક્ટોબરે ૩૬,પ૯૩ અને મૃત્યુઆંક ૧૮૦૯ થયો છે એટલે છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાના નવા ર૧૯૯ કેસ અને ૪૦ મૃત્યુ થયાં હોઇ આ બાબત કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આ સમયગાળામાં કોરોનાના દર્દી કરતાં ડિસ્ચાર્જ થયેલા દર્દી વધુ એટલે કે ર૬૪૩ છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં ખાનગી હોસ્પિટલમાં પણ ગત તા.૧૪ ઓક્ટોબરની સ્થિતિએ ૪પ ટકા પથારી ખાલી છે.