સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી નામની પત્રિકામાં છપાયેલા એક રિપોર્ટના પરિણામ કહે છે કે શારિરીક અંતર જ સંક્રમણને રોકવા માટે પૂરતું નથી પણ માસ્ક અને વેન્ટિલેશન જેવી ચીજો પણ જરૂરી છે.
કોરોનાને લઈને કરાયો નવો રિસર્ચ
ઘરમાં 6 ફૂટની દૂરી રાખવાથી પણ ફેલાય છે કોરોના
સંક્રમિત વ્યક્તિ 6 ફીટના અંતરના વ્યક્તિને પણ કરે છે સંક્રમિત
કોરોના વાયરસને લઈને રોજ નવા રિસર્ચ સામે આવી રહ્યા છે. આ સમયે એક નવા સ્ટડીમાં દાવો કરાયો છે કે ઘરની અંદર કોરોનાથી બચવા માટે 6 ફીટનું અંતર પૂરતું નથી અને 6 ફીટની દૂરીમાં પણ એક સંક્રમિત વ્યક્તિ અન્યને સંક્રમિત કરી શકે છે.
શું કહે છે રિપોર્ટ
સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી નામની પત્રિકામાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ફક્ત શારિરીક અંતર જ સંક્રમણને રોકવા માટે પૂરતું નથી. પરંતુ માસ્ક અને વેન્ટિલેશન જેવી ચીજો પણ તેના માટે જરૂરી છે. શોધકર્તાઓએ 3 બાબતોની તપાસ કરી છે. તેમાં સ્પેસના માધ્યમથી હવાના વેન્ટીલેશનનું પ્રમાણ અને દર, અનેક વેન્ટિલેશનની રણનીતિ સાથે જોડાયેલા ઈન્ડોર એરફ્લો પેટર્ન, શ્વાસ લેવાની સાથે વાત કરવાના એરોસોલ એમિસન મોડ સામેલ છે.
માસ્ક વિના 6 ફીટના અંતરે પણ સંક્રમિત થઈ શકે છે વ્યક્તિ
સ્ટડીમાં કહેવાયું છે કે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ 6 ફીટના અંતરે બેસીને પણ માસ્ક વિનાના વ્યક્તિને સંક્રમિત કરીને વાત કરે છે. આ પરિણામ એવા રૂમની અંદર વધારે જોવા મળે છે જ્યાં વેન્ટિલેશનની ખામી છે. શોધમાં કહેવાયું છે કે એયરોસોલ્સ ડિસ્પ્લેસમેન્ટ વેન્ટિલેશન વાળા રૂમમાં વધારે ઝડપથી યાત્રા કરે છે અને અહીં તાજી હવા સતત ફર્શથી પસાર થાય છે અને જૂની હવાની પાસે એક નિકાસ વેન્ટમાં ધકેલે છે. આ રીતના વેન્ટીલેશન સિસ્ટમ મોટાભાગના ઘરોમાં સ્થાપિચ છે.
શું કહે છે અન્ય સ્ટડી
અન્ય એક સ્ટડીમાં કહેવાયું છે કે ભારતમાં ઉચ્ચ ઈન્ટરનેટ પહોંચનો રેશિયો સોશ્યલ મીડિયાના વધતા ઉપયોગ અને તેમાં ઈન્ટરનેટની સાક્ષરતાની અછતના કારણે સોશ્યલ મીડિયા પર ખોટી જાણકારી આપવામાં આવી હતી. 138 દેશમાં પ્રકાશિત 9657 ખોટી જાણકારીને સામેલ કરાઈ છે. ભારતમાં સોશ્યલ મીડિયા પર સઔથી વધારે 18.07 ટકા ખોટી જાણકારી આપવામાં આવી છે. તેનું કારણ દેશની ઉચ્ચ ઈન્ટરનેટ દર, સોશ્યલ મીડિયાના ઉપયોગમાં વધારો અને સાથે ઉપયોગકર્તામાં ઈન્ટરનેટ સાક્ષરતાની ખામી છે.