છેલ્લા કેટલાક દિવસથી કોરોના અંગેની કોલર ટ્યૂન વાગે છે. ત્યારે કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે કે, CM રૂપાણી પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક છે ત્યારે આ અંગે તેમણે જાહેરાત માટે મંજૂરી લીધી છે કે નહીં સહિતના સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા હતા જેના જવાબમાં CM રૂપાણીએ પણ ખુલાસો કર્યો હતો.
કોરોના કોલકટ્યૂન અંગેના વિવાદ પર CMનું નિવેદન
કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે: CM
કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા જ નથી: CM
કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા કોલ કરતા સમયે સીએમ રૂપાણના અવાજની કોલરટ્યૂન રાખવામાં આવી છે. આ કોલરટ્યૂનને લઈને વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે. આ કોલર ટ્યૂનમાં હું મારું નામ નથી બોલતો. કોંગ્રેસ ખોટા વિવાદ ઉભા કરી રહી છે..
કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસોની કોંગ્રેસ માગ
મહત્વનું છે કે, કોલરટ્યૂનને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ કહ્યું હતું કે, CM રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ CMની ઓડિયો ટેપ શરૂ કરાઈ છે. કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસોની કોંગ્રેસ માગ કરી છે.
કોલ કરતી વખતે વાગતી કોલરટ્યુનને લઇ વિવાદ
કોંગ્રેસ દ્વારા કોલરટ્યુન બંધ કરવા ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે. કોલરટ્યુન મતદારોને પ્રભાવિત કરી શકે છે. કોલ કરતા અગાઉ CM રૂપાણીનો ઓડિયો સંદેશ આવે છે. કોલરટ્યુનમાં તહેવારોની ઉજવણીને લઈને CMના સંદેશની વાગે છે. CM રૂપાણી ભાજપના સ્ટારપ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ CMની ઓડિયો ટેપ શરૂ કરાઇ છે. ચૂંટણીપંચની પૂર્વ મંજૂરી લેવાઇ છે કે નહી? કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસો કરવા માંગ કરવામાં આવી છે. મોબાઇલ કંપનીઓ સાથે આ મામલે MOU થયા છે કે નહી તે અંગે પણ કોંગ્રેસે પ્રશ્નો પૂછ્યો છે.