ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણની વધારે અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. લગભગ 2 મહિનાથી પણ વધારે દિવસના લૉકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 7466 નવા કેસ મળ્યા છે અને 175 દર્દીઓના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે કોરોનાની સંખ્યા દેશમાં 1.65 લાખને પાર થઈ છે.
ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
24 કલાકમાં 7466 નવા કેસ, 175 મોત થયા
કુલ કેસની સંખ્યા 1.65 લાખને પાર થતાં વધી ચિંતા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંક અનુસાર દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 89987 થઈ છે. કોરોના મહામારીના કારણે હાલ સુધીમાં 4706 લોકોના મોત થયા છે, તો 71105 લોકો સારવાર બાદ સાજા થયા છે.
With the highest spike of 7,466 more COVID-19 cases and 175 deaths reported in the past 24 hours, India's COVID-19 tally reached 1,65,799
દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4,706 દર્દીઓનાં મોત થયાં છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 1,982 દર્દીઓનાં મોત થયાં છે, ગુજરાતમાં 960 દર્દીઓનાં મોત થયાં છે. મધ્યપ્રદેશમાં આ સંખ્યા 321 છે, દિલ્હીમાં ચેપને કારણે પોતાનો જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 316 છે અને પશ્ચિમ બંગાળમાં 295 છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંનેમાં ક્રમશઃ 180 અને 197 લોકોનાં મોત નીપજ્યાં છે. તમિલનાડુમાં 127 અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 57 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 44 અને પંજાબમાં 40 લોકોના મોત થયા છે. જ્મ્મૂ કાશ્મીરમાં 24, હરિયાણામાં 17, બિહારમાં 13, ઓરિસ્સામાં 7, કેરળમાં 6, હિમાચલમાં 5, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઝ તથા આસામમાં 4-4 લોકોના મોત થયા છે. મેઘાલયમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
મુંબઈમાં 24 કલાકમાં 1438 નવા કેસનો વધારો
ગુરુવારે મુંબઇમાં કોરોના વાયરસના ચેપના 1438 નવા કેસોની સાથે મહાનગર 35,000ની સંખ્યાને વટાવી ગયું છે, જ્યારે આ રોગચાળાને કારણે 38 વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, મૃત્યુની સંખ્યા 1100થી વધુ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ભારત હવે મૃત્યુના કિસ્સામાં પણ ચીનને પાછળ છોડી ચૂક્યું છે એશિયામાં સૌથી વધુ મોતના કેસમાં ભારત બીજા નંબર પર પહોંચી ગયું છે.