કોરોનાના બૂસ્ટર ડોઝથી HIVના જોખમને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દાવાને વૈજ્ઞાનિકોએ સીધો ફગાવી દીધો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે આ પ્રકારના દાવાને સિદ્ધ કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
સો.મીડિયામાં કરાયો દાવો, બૂસ્ટર ડોઝથી HIV સંક્રમણ થઇ શકે
કોરોનાના બૂસ્ટર ડોઝથી HIVનું જોખમ થતુ નથી
HIV થવાના દાવાને સિદ્ધ કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી
એક અભ્યાસ પરથી કરાયો દાવો
સોશિયલ મીડિયામાં ફ્રાન્સના વિરોલોજીસ્ટ લુક મોન્ટાગનેયરના એક અભ્યાસ પરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે બૂસ્ટર ડોઝથી HIV સંક્રમણ થઇ શકે છે. મોન્ટાગનેયરને એચઆઈવીના સંશોધન માટે 2008માં મેડિસિનનો નોબલ પુરસ્કાર મળ્યો છે અને આ મહિનાની શરૂઆતમાં તેમનું નિધન થયુ હતુ. ત્યારબાદ ટ્વિટર પર યુઝર્સ તેમના હવાલાથી પોસ્ટ અપલોડ થવા લાગી હતી. જેમાં કહેવામાં આવ્યું હતુ કે ત્રીજો ડોઝ લેનારા લોકો એઈડ્સની પણ તપાસ કરાવી લે. જો રિપોર્ટ પોઝીટીવ આવે તો સરકાર પર કેસ કરે.
HIV સંક્રમણ વધવાના દાવાને વૈજ્ઞાનિકોએ ફગાવ્યો
ત્યારબાદ કોલકત્તા સીએસઆઈઆરમાં વરિષ્ઠ વાયરોલોજી નિષ્ણાંત ઉપાસના રાયે કહ્યું, આપણે આ પ્રકારની પોસ્ટથી સાવધાન રહેવાનુ છે. ગભરાવવાની જરૂર નથી. આવા પ્રકારના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ઈમ્યુનોલોજીસ્ટ વિનીતા બાલે તેની પર સહમતિ દર્શાવી કે કોરોનાની રસી કોઈ પણ સ્વરૂપમાં એચઆઈવી સંક્રમણને પ્રોત્સાહન આપતી નથી.