ત્રીજી લહેરમાં હવે કોરોનાએ ડોકટરો અને પોલીસકર્મીઓને ભરડામાં લીધા હોય એવું લાગે છે. રોજેરોજ બંનેના વધારે કેસ સામે આવતા જાય છે આજે તો એમાં પણ 1000 પોલીસકર્મી પોઝિટિવ આવ્યા હતા.
રોજના એક લાખ કરતાં વધારે કેસ આવી રહ્યા છે
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન એક લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. એવામાં વધુ એક આંકડો સામે આવ્યો છે જેણે સરકારી અધિકારીઓ સહિત તમામને ચિંતામાં મૂકી દીધા છે.
દિલ્હીમાં એકસાથે 1000 પોલીસકર્મીઓ કોવિડ પોઝિટિવ
અગાઉ મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે. દિલ્હીમાં 300 થી વધારે પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાંથી ઘણા તો મોટા ઓફિસર્સ પણ સામેલ છે. મુંબઈમાં પણ ઘણા IPS ઑફિસર્સ કોરોના સંક્રમિત થયા હતા. અહીં છેલ્લા 48 ક્લાકમાં 114 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. બે અધિકારીઓએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
દિલ્હી પોલીસના પબ્લિક રિલેશન ઓફિસર, એડિશનલ કમિશ્નર ચિન્મય બિસ્વાલ અને બીજા ઘણા મોટા અધિકારીઓ સામેલ છે.
Around 1000 Delhi Police personnel, including Public Relations Officer and Additional Commissioner Chinmoy Biswal have tested positive for COVID19. All infected personnel are under quarantine: Delhi Police
દિલ્હીમાં કોરોનાથી 17ના મોત, સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા
દિલ્હીમાં કોરોનાથી 17ના મોચ થયા છે. ત્યારે સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણ દર 23. 53 ટકા રહ્યો. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. રવિવારે ગત વર્ષ એક મે બાદથી કોઈ એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે મામલા છે. એક મેએ સંક્રમણના 25, 219 મામલા સામે આવ્યા હતા અને સંક્રમણ દર 31. 61 ટકા રહ્યો હતો. સરકારી આકંડા અનુસાર કોરોનાના 1618 હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 44 વેન્ટિલેટર પર છે.
મહામારીએ 24 કલાકમાં146 દર્દીઓના જીવ લીધા
ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 1, 79, 723 નવા મામલા આવ્યા છે અને 46,569 લોકો સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ આ મહામારીએ કાલે 146 દર્દીઓના જીવ લીધા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે આઈસીએમઆરના જણાવ્યાનુંસાર ભારતમાં કાલે કોરોનાના 13, 52, 717 સેમ્પલ લેવામાં આવ્યા. આની સાથે દેશમાં કાલ સુધી કુલ 69, 15, 75, 352 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈમાં પણ 523 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર
મુંબઈમાં પણ ખરાબ સ્થિતિ અગાઉ મુંબઈમાં પણ 523 પોલીસકર્મીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતા. મુંબઈમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં રોજ 40 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ થયેલા સંક્રમિતોમાંથી અડધો અડધ કેસો મુંબઈમાંથી જ સામે આવ્યા છે. તેનું એક આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું છે. મુંબઈમાં લોકો સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો કોરોના ટેસ્ટ પોતાના ઘરમાં જ કરી રહ્યો હોવાથી BMC ને કોરોના કેસોના સાચા આંકડા મળી નથી રહ્યા. સેલ્ફ ટેસ્ટની કિટથી પરિણામ સાચુ જ મળશે તેની કોઈ ગેરન્ટી ન હોવાથી BMC જલ્દીથી કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટ પર પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619
કેન્દ્ર સરકાર તરફથી જારી આંકડા પર નજર નાંખીએ તો દેશમાં અત્યાર સુધીમાં કુલ મામલા 3,57,07,727 થઈ ચૂક્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619 છે. અત્યાર સુધી મહામારીના 3,45,00,172 લોકો સાજા થઈ ચૂક્યા છે. જો કે આ વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 4,83,936 લોકોનો જીવ લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને હરાવવા રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. આજથી 60થી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના શરુ કરવામા આવ્યા છે. અત્યાર સુધીમાં 1,51,94,05,951 કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે.