કોરોનાની બીજી લહેર બાદ ફરી વધતા કેસે દેશની ચિંતામાં વધારો કર્યો છે. ત્રીજી લહેરની આશંકા સતાવી રહી છે.
24 કલાકમાં દેશમાં 42, 618 નવા કેસ
દેશમાં કોરોનાના 4,05681 એક્ટિવ કેસ
કેરળમાં એક દિવસમાં 29,322 નવા મામલા
24 કલાકમાં દેશમાં 42, 618 નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 42, 618 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન 330 દર્દીના મોત થયા છે. કોરોનાના નવા દર્દી મળ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 3,29, 45, 907 થઈ ગઈ છે. જો કે આજનો આંકડો કાલની સરખામણીએ ઘણો ઓછો છે. શુક્રવારે દેશમાં 47 હજારથી વધારે મામલા આવ્યા હતા.
દેશમાં કોરોનાના 4,05681 એક્ટિવ કેસ
હાલમાં દેશમાં કોરોનાના 4,05681 એક્ટિવ કેસ છે. જ્યારે 3 કરોડ 21 લાખ 1 લોકો સંપૂર્ણ સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 40 હજાર 225 લોકોના મોત થયા છે. સાથે દેશમાં અત્યાર સુધી 67,72,11,205 લોકોને રસી લગાવાઈ ચૂકી છે. ગત 24 કલાકમાં 58,85,687 લોકોને રસી અપાઈ છે.
કેરળમાં એક દિવસમાં 29,322 નવા મામલા
બીજી તરફ કેરળમાં સ્થિતિ નાજૂક છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના 29,322 નવા મામલા સામે આવ્યા અને કુલ મામલા વધીને 41.51 લાખથી વધારે થઈ ગયા છે. કોરોનાથી 131 લોકોના મોત થતા રાજ્યમાં મરનારાની સંખ્યા 21,280 થઈ ગઈ. નવા મામલા બાદ રાજ્યમાં અત્યાર સુધી કુલ મામલાની સંખ્યા વધીને 41,51,455 થઈ ગઈ છે. આ દરમિયાન શુક્રવારે 22, 938 લોકો આ બિમારીથી સાજા થઈ ચૂક્યા છે. જે બાદ અત્યાર સુધીમાં સાજા થનારાની કુલ સંખ્યા વધીને 38,83,186 થઈ ગઈ છે.