મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ વણસી રહી છે.
કોરોના ફરી વકર્યો
મહારાષ્ટ્રના નાગપુરમાં લૉકડાઉન
સતત વધતા કેસને લઇને લેવાયો નિર્ણય
કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઇને રાજ્યના નાગપુર જિલ્લામાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
Maharashtra | Complete lockdown to remain imposed in Nagpur City Police Commissionerate area from March 15 to March 21. Essential services will continue: Nagpur Guardian Minister Nitin Raut#COVID19
નાગપુરના પાલક મંત્રી નિતીન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે કોઇને પણ બહાર નીકળવાની પરમીશન હશે નહી, માત્ર જરૂરી સામાન સિવાય કોઇ દુકાન ખુલ્લી રહેશે નહી.
મહત્વનું છે કે નાગપુરમાં બુધવારે 1710 નવા કેસ સામે આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસનો આ રેકોર્ડ છે. નાગપુર નિગમે કહ્યું કે કોરોનાના નવા કેસમાં 20 થી 40 વર્ષના લોકોમાં વધુ દેખાઇ રહ્યાં છે.
મહામારીને હલકામાં લઇ રહ્યાં છે લોકો
નગર નિગમના કમિશ્નર રાધાકૃષ્ણને બુધવારે કહ્યું કે લોકો મહામારીને હળવી રીતે લઇ રહ્યાં છે. લોકોની મદદ વિના આ મહામારી પર કાબૂ રાખી શકાય તેમ નથી. સરકારે આર્થિક ગતિવિધિઓ શરૂ કરી દીધી છે અને અમે નથી ઇચ્છતા કે પૂર્ણ લોકડાઉન થઇ જાય પરંતુ તો પરિસ્થિતિ વણસી તો લોકડાઉનનુ એલાન કરાશે.