મહારાષ્ટ્રમાં 7 જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. જે ત્રીજી લહેરની આશંકા વધારી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં 7 જિલ્લા ચિંતાનું કારણ
ગણેશ ઉત્સવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી
7 પશ્ચિમી જિલ્લાને ‘ચિંતાના ક્ષેત્ર’ કહેવામાં આવ્યા
મહારાષ્ટ્રમાં 7 જિલ્લા ચિંતાનું કારણ
મહારાષ્ટ્રમાં કોરોનામાં સામાન્ય વધારા બાદ એક વાર ફરી કોરોનાનો કેર વધ્યો છે. રવિવારે થયેલી સરકારની બેઠકમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં 7 જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. જ્યાં કોરોનાના સૌથી વધારે મામલા જોવા મળી રહ્યા છે. જેમાં મુંબઈ, પૂણે, સાંગલી વગેરે સામેલ છે. થોડાક દિવસમાં શરુ થનારા ગણેશ ઉત્સવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
7 પશ્ચિમી જિલ્લાને ‘ચિંતાના ક્ષેત્ર’ કહેવામાં આવ્યા
રવિવારની બેઠકમાં પૂણે સહિત રાજ્યના 7 પશ્ચિમી જિલ્લાને ‘ચિંતાના ક્ષેત્ર’ કહેવામાં આવ્યા છે. સરકારને ડર છે કે કેસમાં વધારો ત્રીજી લહેરની એન્ટ્રી તો નથીને? ગત 10 દિવસમાં મામલાની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો. આ ઉપરાંત નવા સંક્રમણોમાં સામાન્ય ઉછાળો આવ્યો છે.
અહીં પોઝિટિવિટી રેટ 5 ટકાની નીચે રહ્યો
ડેટાથી ખબર પડે છે કે કે ભલે કેટલાક અઠવાડિયાથી તમામ જિલ્લામાં અઠવાડિક પોઝિટિવિટી રેટ 5 ટકાની નીચે રહ્યો છે. પરંતુ આ અઠવાડિયે પૂણે અને અહમદનગર જેવા કેટલાક જિલ્લામાં આ આંકડા ક્રમશઃ 6.58 ટકા અને 5.08 ટકા જોવા મળ્યા છે. મુંબઈ પાછું એ ટોપ 5 જિલ્લામાં સામેલ થઈ ગયું છે જ્યાં કોરોનાના સૌથી વધારે મામલા નોંધાયા છે.
કુલ 52, 025 સક્રિય મામલામાંથી 90.62 ટકા મામલા ફક્ત 10 જિલ્લામાંથી
રાજ્યના કુલ 52, 025 સક્રિય મામલામાંથી 90.62 ટકા મામલા ફક્ત 10 જિલ્લામાંથી છે. જેમાંથી 37,897 અથવા 72.84 ટકા મામલા ફક્ત 5 જિલ્લામાંથી સામે આવ્યા છે. રાજ્ય સરકારે પૂણે, અહમદનગર, સાતારા, સોલાપુર, સાંગલી, રત્તનાગિરી અને સિંધુદુર્ગે ચિંતાના જિલ્લા કરા આપ્યા છે. ડો. વ્યાસે કહ્યું છે આ જિલ્લામાં નવા સંક્રમણોમાં વૃદ્ધિ દર અને અઠવાડીક પોઝિટિવિટિ દર બહું વધારે છે. શુક્રવારથી શરુ થનારા ગણેશ ઉત્સવની સાથે આ જિલ્લામાં મોટા પાયે મનાવવાની શક્યતા છે. જિલ્લા પ્રશાસનને વધારે સાવધાની વર્તવાની જરુર છે.
17 જિલ્લામાં બીજી હાલમાં રોકાઈ ગઈ છે
વ્યાસે કહ્યું કે બાકીના 17 જિલ્લામાં બીજી હાલમાં રોકાઈ ગઈ છે. જેમાંથી 7 જિલ્લામાં 10થી ઓછા સક્રિય રોગી છે. જ્યારે 11માં સક્રિય રોગીઓની સંખ્યા 11થી 100ની વચ્ચે છે. જેમાંથી મોટા ભાગના જિલ્લા વિદર્ભ અને મરાઠાવાડમાં છે. સમ્મેલનમાં સીએમ ઠાકરેએ કહ્યું કે તેમની સરકારની પ્રાથમિકતા ત્રીજી લહેરને રોકવા તથા તેના હુમલાની તીવ્રતાને ઘટાડવાની છે.