ગુજરાતમાં કોરોનાથી થતા મોત અને તેમની અંતિમ વિધિ સરકારી ચોપડે મોતના આંકડાની ઘાલમેલ અંગે શંકા પ્રેરે છે. આવો જોઈએ ક્યાં કેવી સ્થિતિ
પાટણમાં પણ મુક્તિધામમાં ચિંતાજનક સ્થિતિ
સુરતમાં કોરોનાએ ઉભી કરી ગંભીર પરિસ્થિતિ
રાજકોટમાં કોરોના વાયરસનો હાહાકાર
રાજકોટમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ અંતિમવિધિ કરાઈ છે. કોરોના સારવાર લેતા દર્દીઓના 31 મૃત્યુત જાહેર કરાયા છે. ડેથ ઓડિટ કમિટિના આંકડામાં રાજકોટમાં 2 મૃત્યુ દર્શાવાયા છે. તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોતના આંકડા કેમ છુપાવી રહ્યું છે.
ક્યાં કેટલા લોકોની અંતિમવિધિ
રામનાથપરા સ્મશાનમાં 11 મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
મવડી સ્મશાનમાં 12 મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
મોટામવા સ્મશાનમાં 10 મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
બાપુનગર સ્મશાનમાં 13 મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
કબ્રસ્તાનમાં કોવિડ ગાઈડ લાઈનથી 4 દફનવીધી કરાઈ
મોડીરાત સુધી સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાઈનો લાગી હતી
સુરતમાં કોરોનાએ ઉભી કરી ગંભીર પરિસ્થિતિ
સુરતમાં સ્મશાનમાં રાત્રે પણ 70 થી વધુ મૃતદેહ વેટિંગમાં હતા ત્યારે ઉમરા સ્મશાનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જે ગત રાતનો હોવાનું અનુમાન છે. સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ ચાલી રહ્યુ છે. જ્યારે સરકારી આંકડામાં ગત રોજ 14ના જ મોત બોલે છે. સુરતના ત્રણેય સ્મશાનમાં વેઇટિંગ લાઇન જોવા મળી હતી. ]
પાટણમાં પણ મુક્તિધામમાં ચિંતાજનક સ્થિતિ
પાટણના સિદ્ધપુરનાં સરસ્વતી મુક્તિધામમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી ત્યારે સરસ્વતી મુક્તિધામનાં ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યુ હતુ. 24 કલાકમાં 5 કોરોનાગ્રસ્ત મૃતદેહોનો કરાય અંતિસંસ્કાર છે. અત્યાર સુધીમાં 550થી કોરોનાગ્રસ્ત મૃતદેહોનો અંતિસંસ્કાર કરાયો છે.
કોરાનાગ્રસ્ત મૃતદેહના અંતિસંસ્કારને લઇ સિક્યુરીટી ગાર્ડનુ નિવેદન છે કે, રોજના 5 કોરોનાગ્રસ્ત મૃતદેહોનો અંતિમસંસ્કાર કરાય છે એટલું જ નહીં પણ તેઓનું કહેવુ છે કે, ચૂંટણી પહેલા કોરોનાગ્રસ્ત મૃતદેહ નહતા આવતા પણ ચુંટણી બાદ કોરોનાગ્રસ્ત મૃતદેહો વધ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે આજની કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4655 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 182 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અને પરિસ્થિતિ બેકાબૂ બની હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આવતીકાલે CM રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ જશે. કોરોનાના વધતા કેસો વચ્ચે CM રૂપાણી રાજકોટ જઈ રહ્યા છે. જ્યાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાશે. CM રૂપાણી કલેક્ટર, મનપા કમિશનર સાથે બેઠક યોજશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિજનના સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160 રૂપિયાથી વધીને 285 રૂપિયા થઈ છે. તો GST સાથે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 316 રૂપિયાએ પહોંચી છે. તો બીજી તરફ હોળાષ્ટક પહેલા રોજના 50થી 60 ઓક્સિજનના સિલિન્ડરની માગ રહેતી હતી.
જ્યારે હાલ રોજના 350થી 400 સિલિન્ડર સુધી પહોંચી છે. જો આગામી સમયમાં હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો આ માગ 800 સુધી પહોંચશે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઓક્સિજનના સિલિન્ડરની અછત ઉભી નહી થાય તેવી બાંહેધરી આપી છે.