ધાણાને કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરંપરાગત ઉપચાર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ધાણાને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડી શકાય છે.
ધાણાનું સેવનથી મળશે અનેક ફાયદા
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે
લોહીના પ્રવાહમાં સુધારો થઈ શકે છે
કોથમીર(લીલા ઘાણાના પાંદડાઓ) અને ધાણાને કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરંપરાગત ઉપચાર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ધાણાને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડી શકાય છે. કોથમીર એ એક ઔષધિ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. કોથમીરનો ઉપયોગ ઘણીવાર સીધો જ કરવામાં આવે છે, જ્યારે બીજનો ઉપયોગ સૂકવવા અથવા ગ્રાઇન્ડિંગ દ્વારા કરવામાં આવે છે. તમે જાણો છો કે આપણે જે ખાઈએ છીએ તેમાં બદલાવ લાવવાથી તમારું કોલેસ્ટરોલ ઓછું થઈ શકે છે અને તમારા લોહીના પ્રવાહમાં સુધારો થઈ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે તેવા ખોરાકનો સમાવેશ કરવો એ તેને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
કોથમીરથી થશે આ ફાયદાઓ
કોથમીરમાં ઉચ્ચ એન્ટીઓકિસડન્ટો હોય છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. ઘાણામાં ફોલિક એસિડ, વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટીન જેવા ઘણા મુખ્ય વિટામિન્સ હોય છે. એક ચમચી ધાણાને પાણીમાં લગભગ બે મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને પીવો. આ ઉપાય કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.
કોથમીરના બીજના અન્ય ફાયદા
1. પાચનશક્તિમાં સુધારો કરે છે
આ નાના બીજ તમારી આંતરડાની બધી સમસ્યાઓ માટે જાદુઈ છે, જેમાં પેટનું ફૂલવું, ગેસ્ટ્રિક, ઝાડા, ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ બધી પાચન સમસ્યાઓનું સમાધાન છે. તેમાં ડાયેટરી ફાઇબર હોય છે અને તે એન્ટીઓકિસડન્ટોનો સારો સ્રોત પણ છે.
2. ડાયાબિટીસના ઇલાજમાં પણ ઉપયોગી
આ નાના બીજ વજન ઘટાડવા અને શરીરમાંથી ચરબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તે એન્ટીઓકિસડન્ટો અને અન્ય આવશ્યક વિટામિન્સનો સારો સ્રોત છે જે શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
૩. વાળ અને ત્વચામાં સુધારો કરે છે
બીજમાં વિટામિન કે, સી, બી ભરપૂર માત્રામાં હોય છે સાથે જ એન્ટિઓક્સિડન્ટ્સ અને અન્ય મિનરલ્સ પણ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે તમારા આહારમાં કોથમીરનો સમાવેશ કરીને ચમકદાર ત્વચા મેળવી શકો છો, કારણ કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે અને ત્વચાને એલર્જી અને લાલાશથી પણ બચાવે છે.