બાયોલોજિકલ ઈ લિમિટેડને 5થી 18 વર્ષના બાળકો પર તેમની કોરોના રસીના બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી મળી છે.
DCGI 5થી 18 વર્ષના બાળકો પર સ્વદેશી રસીના ટ્રાયલની આપી મંજૂરી
બાયોલોજિકલ ઈ લિમિટેડને પોતાની રસીના ટ્રાયલની મળી મંજૂરી
કેન્દ્ર સરકાર તરફથી લગભગ 100 કરોડ રુપિયાની મદદ આપવામાં આવી
બાયોલોજિકલ ઈ લિમિટેડને પોતાની રસીના ટ્રાયલની મળી મંજૂરી
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડને કેટલીક શરતો સાથે 5થી 18 વર્ષના બાળકોને તેમના દ્વારા નિર્મિત સ્વદેશી કોરોના રસીના બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ કરવાની બુધવારે પરવાનગી આપી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે બાયોલોજિકલ ઈ લિમિટેડના કોબેવેક્સ રસીના ક્લીનિકલ ટ્રાયલો દેશમાં 10 સ્થાન પર કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી લગભગ 100 કરોડ રુપિયાની મદદ આપવામાં આવી
રસીના બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલનો હેતુ બાળકો અને કિશોરોને સુરક્ષા અને અસરકારક્તા ઉપરાંત એ શોધવાનું છે કે આ કેટલા પ્રમાણમાં એન્ટીબોર્ડી વિકસિત કરે છે. DCGI તરફથી રસીના ક્લીનિકલ ટ્રાયલની પરવાનગી કોવિડ 19 પર સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણના આધાર પર કરવામાં આવી છે. બાયોલોજિકલ ઈ કેન્દ્ર સરકાર તરફથી લગભગ 100 કરોડ રુપિયાની મદદ આપવામાં આવી છે અને આ રસીના આગલા કેટલાક મહિનામાં ઉપલબ્ધ થવાની આશા છે.
સરકારે 30 કરોડ ડોઝ માટે બાયોલોજિકલ ઈ સાથે કરાર કર્યા
કેન્દ્રીસ સ્વાસ્થ્ય મંત્રાલયે રસીના 30 કરોડ ડોઝ માટે બાયોલોજિકલ ઈ સાથે કરાર કર્યા છે. આ રસીનું ઉત્પાદન કંપની ઓગસ્ટથી ડિસેમ્બર 2021ની વચ્ચે કરશે. એટલા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાયોલોજિકલ ઈને 1500 કરોડ રુપિયાની ચૂકવણી કરી છે.
ઝાયકોવ- ડીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે
અત્યાર સુધી DCGI તરફથી દેશમાં વિકસિત કરવામાં આવેલા ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ- ડીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જે દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ થનારી આ પહેલી કોરોના રસી બની ગઈ છે.
આ દરમિયાન ભારત બાયોટેક તરફથી બેથી 18 વર્ષની ઉંમર માટે વિકસિત કરવામાં આવી રહેલા રસીના બીજા અને ત્રીજા ચરણના ક્લીનીકલ ટ્રાયલના આંકડા પર હજું વિચાર કરી શકાય છે. ત્યારે જુલાઈમાં ભારતના DCGIની એક વિશેષજ્ઞ સમિતીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને 2થી 17 વર્ષના બાળકો પર કોવોવેક્સના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણ માટે કેટલીત શરતોની સાથે પરવાનગી આપવાની ભલામણ કરી હતી.