જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને ખાસ મહત્વ આપવામાં આવે છે. રત્ન ગ્રહોના અશુભ પ્રભાવને ઘટાડે છે. એવુ જણાવવામાં આવે છે કે રત્નનો ગ્રહ સાથે ખાસ કનેક્શન હોય છે. ગ્રહોના પ્રકોપથી બચવા માટે સંબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને વિશેષ મહત્વ
મંગળ ગ્રહના અશુભ પ્રભાવને ખત્મ કરવા મૂંગા રત્ન પહેરવુ જોઈએ
જો મૂંગા રત્ન ધારણ કરવામાં આવે તો વ્યક્તિ ધીમે-ધીમે બને છે ધનવાન
મૂંગા કેવા લોકો માટે લાભકારી
મંગળ ગ્રહને મજબૂત કરવા અને તેના અશુભ પ્રભાવને ખત્મ કરવા માટે મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષની સલાહથી જો મૂંગા રત્ન ધારણ કરવામાં આવે તો અમીર બનવામાં મદદ મળે છે. એવામાં જાણીએ છીએ કે કયા લોકો માટે મૂંગા લાભકારી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માંગલિક દોષથી છૂટકારો મેળવવા માટે મૂંગા રત્ન ધારણ કરવુ જોઈએ. જે જાતકોની કુંડળીમાં મેષ, વૃશ્વિક, મીન અને ધન રાશિ લગ્નમાં હોય તો આવા જાતકો માટે મૂંગો ધારણ કરવો શુભ હોય છે. આ સાથે જો વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ અથવા નીચનો હોય તો મૂંગો પહેરી શકાય છે. રત્ન શાસ્ત્રના જાણકારો મુજબ મૂંગા રત્ન મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે. જેને પહેરવાથી લોહી સાથે જોડાયેલા રોગથી છૂટકારો મળે છે.
મૂંગો કેવીરીતે ધારણ કરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મૂગા રત્નને ચાંદી અથવા સોનાની ધાતુમાં બનાવીને ધારણ કરવો જોઈએ. મૂંગાને અંગૂઠી માટે સવા ચારથી આઠ રત્તીના મૂંગા સારું માનવામાં આવે છે. મૂંગાની અંગૂઠી બનાવ્યાં બાદ તેને સોમવારના દિવસે કાચા દૂધ અથવા ગંગાજળમાં રાખી દેવી જોઈએ. ત્યારબાદ મંગળવારના દિવસે અનામિકા આંગળીમાં ધારણ કરવી જોઈએ.