અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો સુધી પહોંચવા માટે સહકારી બેંકોના ગ્રાહકોને ટૂંક સમયમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સાથે જોડવામાં આવશે. એટલે કે હવે તેમને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મળશે.
અમિત શાહની મોટી જાહેરાત
સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો મળશે લાભ
સહકારી બેન્કોના ગ્રાહકોને ટૂંક સમયમાં મળશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
હવે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ માટે સરકાર સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) સાથે જોડશે. અમિત શાહે આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં સરકારના 52 મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી 300 યોજનાઓનો લાભ DBT દ્વારા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યો છે, એટલે કે હવે સહકારી બેંકોના ગ્રાહકોને આ તમામ યોજનાઓનો લાભ મળશે.
અમિત શાહે કરી મોટી જાહેરાત
અમિત શાહે એ પણ માહિતી આપી હતી કે બેંકિંગ ક્ષેત્રમાં પહેલા કરતા ઘણો સુધારો થયો છે અને તેના કારણે દેશના નાગરિકોને બેંકિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત જન ધન યોજનાના કારણે 45 કરોડ નવા લોકોના બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા છે. આવા 32 કરોડ લોકોને પણ RuPay ડેબિટ કાર્ડનો લાભ મળ્યો છે. અમિત શાહે કહ્યું કે આ બધું PM મોદીના 'સહકાર સે સમૃદ્ધિ કા સંકલ્પ'ના કારણે થયું છે.
બેન્ક ગ્રાહકોને મળશે રાહત
અમિત શાહે કહ્યું, 'દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિમાં સહકારી ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહેશે. પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો નવા ખાતાઓના ડિજિટલ વ્યવહારો પણ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગયા છે.
વર્ષ 2017-18ના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં આમાં 50 ગણો વધારો થયો છે. ડીબીટી સાથે સહકારી બેંકો જોડાવાથી નાગરિકો સાથે વધુ જોડાણ વધશે અને સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બેંકે તેને શાહુકારોની ચુંગાલમાંથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
હવે લોન લેવી થઈ સસ્તી
અમિત શાહે કહ્યું કે એગ્રીકલ્ચર બેંકે તે તમામ માપદંડો પર પોતાને સાબિત કરી છે જે આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા બેંકિંગ માટે બનાવવામાં આવ્યા છે. અગાઉ બેંક પાસેથી 12 થી 15 ટકાના વ્યાજે લોન મળતી હતી જે હવે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એટલું જ નહીં લોનની ચુકવણી કરનારા લાભાર્થીઓને બે ટકાની છૂટ પણ આપવામાં આવે છે.