સહકાર મંત્રી અમિત શાહે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોને કૃષિ સેક્ટર માટે વધુ લોન આપવાનું જણાવ્યું છે.
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકોને અમિત શાહનો આદેશ
કૃષિ ક્ષેત્રને લાંબા ગાળાની વધુ લોન આપો
સહકારી બેન્કોએ સિંચાઈ હેઠળની જમીન માટે વધારે લોન પૂરી પાડે
ગૃહમંત્રીની સાથે સાથે અમિત શાહ સહકાર મંત્રીનો પણ હવાલો સંભાળી રહ્યાં છે
કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે શનિવારે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી) ને સિંચાઈ પ્રોજેક્ટ્સ અને અન્ય માળખાગત સુવિધાઓ સહિત કૃષિ ક્ષેત્રને વધુ લાંબા ગાળાની લોન આપવા વિનંતી કરી હતી.
સહકારી બેંકો સિંચાઈ હેઠળની જમીન માટે લોન પૂરી પાડે-અમિત શાહ
સહકારી બેંકોએ દેશમાં સિંચાઈ હેઠળની જમીન વધારવા માટે લોન પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ શાહે જણાવ્યું હતું. નાના કૃષિ હોલ્ડિંગ્સના પડકારોને પહોંચી વળવા માટે, મંત્રીએ સહકારી બેંકોને કૃષિ સેક્ટરને સહકારી ભાવનાથી કેવી રીતે ચલાવવું તે વિચારવા જણાવ્યું હતું.
Cooperation Minister Amit Shah asks cooperative banks to focus on extending more long-term loans to agri sector
ભારતમાં 49.4 કરોડ એકર ખેતીની જમીન
શાહે કહ્યું કે ભારતમાં 49.4 કરોડ એકર ખેતીની જમીન છે, જો ખેતીની સંપૂર્ણ જમીનમાં સિંચાઈ થાય, તો ભારત સંપૂર્ણ દુનિયાનું પોષણ કરી શકે તેમ છે. એક રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, "જો આપણે પાછળ ફરીને જોઈએ અને સહકારી મંડળીઓ દ્વારા લાંબા ગાળાના ધિરાણની છેલ્લા 90 વર્ષની યાત્રા અને તે કેવી રીતે નીચે આવી છે તે જોઈએ, જો તમે ડેટા જોશો, તો તે વિકસ્યો નથી. તેમણે નોંધ્યું હતું કે, લાંબા ગાળાના ધિરાણમાં ઘણી અડચણો છે અને હવે સહકારી ભાવના સાથે તેને દૂર કરવાનો સમય આવી ગયો છે.
ખેડૂતોને મળી શકે સસ્તી લોન
જો કૃષિ અને ગ્રામીણ બેન્કો અમિત શાહની અપીલને સ્વીકારીને તેમના સૂચનનો અમલ કરે તો ખેડૂતોને હજુ પણ વધારે સસ્તા દરની કૃષિ લોન મળી શકે છે.
સહકારી બેંકો માત્ર બેન્ક તરીકે નહીં સહકારી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે
અમિત શાહે કહ્યું હતું કે, સહકારી બેંકોએ માત્ર બેંકો તરીકે કામ ન કરવું જોઈએ, પણ સિંચાઈ જેવી કૃષિ માળખાગત સુવિધાઓની સ્થાપના જેવી અન્ય સહકારી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.