મહારાષ્ટ્રના રાજ્ય માનવાધિકાર પંચે સોમવારે કૂપર હોસ્પિટલના ડીન અને HODની રિયા ચક્રવર્તીની શબગૃહની મુલાકાત વિશે પૂછપરત કરી હતી. રિયા ચક્રવર્તી 15 જૂનના રોજ શબગૃહમાં સુશાંતની બોડીને જોવા ગઈ હતી.
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યામાં ચોથા દિવસે CBI રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. CBI સોમવારે રિયા સાથે તેના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંતના રસોઇયા નીરજની પણ પૂછપરછ કરી રહી છે.
સુશાંત કેસમાં, મહારાષ્ટ્ર માનવાધિકાર પંચે સોમવારે કુપર હોસ્પિટલના ડીન અને એચઓડીને રિયાની શબગૃહની મુલાકાત વિશે પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી 15 જૂનના રોજ મોર્ગમાં સુશાંતની લાશ જોવા ગઈ હતી. જેના વિશે તેણે ટીવી ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું.
રાજ્ય માનવાધિકાર આયોગ (MHRC) દ્વારા રિયાની શબગૃહની મુલાકાતને ગંભીરતાથી લેવામાં આવી હતી અને કૂપર હોસ્પિટલ, HOD અને મુંબઈ પોલીસના ડીનને આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું.
હોસ્પિટલના ડીને કહ્યું, અમે મંજૂરી આપી જ નથી
સોમવારે, હોસ્પિટલના ડીન અને HOD કમિશન સમક્ષ હાજર થયા હતાં. હોસ્પિટલના ડીને જણાવ્યું હતું કે, 15 જૂને રિયા ચક્રવર્તીની શબગૃહની મુલાકાત લેવાની હોસ્પિટલને કોઈ માહિતી નહોતી. તેમણે કોઈ ખોટું કામ કર્યુ નથી તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
કૂપર હોસ્પિટલના ડીન અને એચઓડીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા રિયાને શબગૃહમાં જવા દેવામાં આવી નહોતી. બંનેએ એમ પણ કહ્યું હતું કે, તેમની પાસે 15 જૂને રિયા ચક્રવર્તીની શબગૃહની મુલાકાતની પણ માહિતી અમને નથી. આ જવાબથી પંચ સંતુષ્ટ જણાયુ ન હતું. હવે સવાલ એ છે કે રિયા ત્યાં કેવી રીતે પહોંચી? શું મુંબઈ પોલીસે તેને ત્યાં પહોંચાડવામાં મદદ કરી?
રિયાએ ખુદ કહ્યું હતું કે તે શબગૃહ ગઈ હતી
રિયા ચક્રવર્તીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, 15 જૂને તે કૂપર હોસ્પિટલના શબગૃહ ગઈ હતી અને સુશાંતની લાશના પગને સ્પર્શ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે હા મે તે વખતે સુશાંતના શબને જોઈને સોરી પણ કહ્યું હતું. રિયા લગભગ 45 મિનિટ ત્યાં હતી, જો કે આ મામલે સુશાંતના પરિવાર પાસેથી પણ પરવાનગી લેવાઈ ન હતી. મહારાષ્ટ્રના હ્યુમન રાઇટ્સ કમિશને કૂપર હોસ્પિટલને પૂછ્યું હતું કે શું તે સુશાંતના પરિવારના માનવાધિકારનું ઉલ્લંઘન નથી?