ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગરમીમાં વધારો થશે છે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર જવાની શકયતા છે. તો ગરમીથી બચવાના ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખીય છે કે ગરમીથી બચવા માટે દરરોજ 2થી 3 લીટર પાણી પીવું જોઇએ. તથા બને તેટલું વધુ પાણી પીવું જોઇએ. બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળો કદાચ કોઇવાર ફરજીયાત ગરમીમાં બહાર નીકળવાનો પ્રસંગ બને તો મોઢા પર રૂમાલ બાંધીને નીકળવું. બજારમાં મળતી ઠંડી વસ્તુઓ આરોગવાનું ટાળો. ખાસ કરીને ગરમીમાં વધારે ખોરાક લેવાનું પણ ટાળવું જોઇએ.
આપને જણાવી દઇએ કે વધારે ખોરાક લેવાથી ઉલટી થવાની શકયતા વધુ છે અથવા ડિહાઇડ્રેશન પણ થઇ શકે છે. કેરી મોસંબીનો રસ દહીં લસ્સી પીવાનો આગ્રહ રાખવો જોઇએ. દૂધી કાકડી પાલક ફુદીનો ડુંગળી લીંબુનો વધુ ઉપયોગ કરવો આંબલી-ગોળનું પાણી પીવાથી લૂ લાગવાથી બચી શકાય છે.
આ સાથે શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો તાપથી બચવા ટોપી-ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો ભીંના કપડાથી માથું ઢાંકીને રાખો સીધા તાપથી બચવું ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું જોઇએ. આ સાથે ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો તો લૂ લાગવાથી બચવાના ઉપાય પર નજર કરી તે ઉનાળામાં પાણી લીંબુ શરબત છાશ નાળિયેરનું પાણી વધારે પીવો.
ખાસ કરીને ઉનાળાના સમયમાં રોજ વરિયાળી કાચી કેરી ગુલાબ અને કાળી દ્રાશના સરબત પીવો. શક્ય બને તો ઉપવાસ કરવાનું ટાળો અને સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું.
લૂ લાગવાના લક્ષણો
-માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો થવો.
-ઊલ્ટી ઊબકા અને ચક્કર આવવા.
-આંખે અંધારા આવવા.
-અચાનક બેભાન થઈ જવું.
-ખૂબ તરસ લાગવી.
-શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.