IOCએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકોને 'પેનિક બુકિંગ' ન કરાવવાની અપીલ કરી છે. કંપનીએ કહ્યું છે કે હવે માત્ર 15 દિવસના અંતરે એલપીજી બુક કરાવી શકાશે. આઇઓસી પ્રમુખ સંજીવ સિંહે એક વીડિયો સંદેશમાં ખાતરી આપી હતી કે દેશમાં એલપીજીની કોઈ તકલીફ નથી. ગેસ સિલિન્ડરની ડિલીવરી યોગ્ય રીતે ચાલી રહી છે અને ચાલતી જ રહેશે. લૉકડાઉનની સ્થિતિમાં ગ્રાહકો ઓછામાં ઓછા 15 દિવસમાં હવે સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે.
લૉકડાઉન દરમિયાન ગેસના સિલિન્ડરની સ્થિતિ પર HPCLનું નિવેદન
HPCLના ચેરમેન મુકેશ સુરાનાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે લૉકડાઉનના કારણે પ્રથમ દિવસ કર્મચારીઓને સમસ્યા થઈ હતી. સરકાર સાથે સહયોગ કરતા સમસ્યાનો હલ આવી રહ્યો છે. ડિલીવરી કરતા 90 ટકા જેટલા લોકો કાર્ય કરી રહ્યા છે. ડિલીવરી કરતા લોકો માટે પણ અમે કાર્ય કરી રહ્યા છીએ. નાગરિકોને કોઈ પરેશાની થાય તેવી કોઈ સમસ્યા નથી. લોકો સિલિન્ડર વધુ ન રાખે તે માટે પણ કાર્ય કરી રહ્યા છીએ. હાલમાં દેશમાં HPના દરરોજ 15 લાખ સિલિન્ડરની ડિલીવરી કરવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે લોકોને સિલિન્ડર ડિલીવર કરાશે.
પિતાના અવસાન બાદ પણ કામમાં જોડાયેલા રહ્યા
પૈતૃક શોક છતાં આઈઓસીના અધ્યક્ષ પુરવઠાની દેખરેખ ચાલુ રાખતા હતા. કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તે દિવસે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધ્યક્ષ સંજીવ સિંહના પિતાનું અવસાન થયું, પરંતુ આ શોક છતાં તેઓ 24 કલાકમાં જ કામમાં જોડાઈ ગયા હતા.