કોરોના કાળમાં સૌથી વધારે પ્રોફેશનલ ઘરેથી કામ કરી રહ્યા છે. તેવામાં બની શકે કે કન્વેન્સિંગ અલાઉન્સ હવે ટેક્સ ફ્રી ન રહે. કોરોનાને લીધે વેકેશન તથા લીવ ટ્રાવેલ અલાઉન્સ પણ ક્લેમ નહીં કરી શકાય જે 4 વર્ષમાં 2 વાર ક્લેમ થતું હતુ. કન્વેન્સ અલાઉન્સ જ્યારે રિઈમ્બર્સમેન્ટ તરફ ઓપર કરવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે. જો સાચે જ તે ખર્ચ થયો છે તો તેના પુરાવા પણ છે. ઓફિશિયલ રુપે ક્યાંકને ક્યાંક આ સંપૂર્ણ રીતે ટેક્સેબલ રુપના ઘેરામાં આવી શકે છે.
આ સંપૂર્ણ રીતે ટેક્સેબલ રુપના ઘેરામાં આવી શકે છે
વર્ક ફ્રોમ હોમ અલાઉન્સનો ટેક્સ ચુકવવો પડશે
સેલરી રિસ્ટ્રક્ચર કરવાથી કર્મચારીઓને ફાયદો નહીં થાય
જો કોરોનાને લીધે તમે ભાડાનું ઘર છોડી ગામ જતા રહ્યા છો તો તમને હાઉસ રેન્ટ અલાઉન્સમાં છુટ નહીં મળે. બની શકે કે તમારે એચઆરએ પર ટેક્સ આપવો પડે. ટેક્સ અને રેગ્યુલેટરી સેવાઓ આપનારા પાર્ટનર પ્રકાશ કોટાડિયા કહે છે કે આ સંજોગોમાં તેની સેલેરીમાં મળનાર એચઆરએ ટેક્સેબલ રહેશે.
ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપે છે અને તેઓ તે નથી પુછતી કે તમે તેનો કેટલો ખર્ચ કરી રહ્યા છો. ખર્ચના કોઈ પુરાવા નથી માંગી રહી તો તમારે તેનો ટેક્સ ચુકવવો પડશે. એક્સપર્ટે જણાવ્યું કે કંપનીઓ એવા રસ્તા શોધી રહી છે જેનાથી કર્મચારીઓને મદદ કરી શકાય.
ક્લીયર ટેક્સના ફાઉન્ડર અને સીઈઓ અર્ચિત ગુપ્તા કહે છે કે તમામ કંપનીઓના એચઆર અમને પુછી રહ્યા છે કે કર્મચારીઓ પર ટેક્સનો બોજો ઓછા કરવાના શુ ઉપાય છે. સરકાર પણ આના પર ધ્યાન આપી રહી છે કે નોકરીયાત લોકો કે જે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમના પર વધારે ભારણ ન વધે. રેન્ડસ્ટેન્ડ ઈન્ડિયાના અંજલી રઘુવંશી કહે છે કે સેલરી રિસ્ટ્રક્ચર કરવાથી કર્મચારીઓને ફાયદો નહીં થાય જ્યાં સુધી ટેક્સના કાયદા સ્ટ્રક્ટરમાં કોઈ ફેરફાર ન થાય. અત્યારે કંપનીઓ રિઈમ્બર્સમેન્ટની રીતે વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપી રહી છે.
વકીલ અને ટેક્સ સલાકાર વૈથીસ્વર્ણે કહ્યું કે પર્સનલ ટેક્સ કાયદામાં પરિવર્તનની જરુર છે. જેતી જરુરી અલાઉન્સ કર્મચારીઓને આપી શકાય. એ જ રીતે કે કન્વેન્સના પૈસા કર્મચારીઓને ઓફિસ બનાવવા, જેમાં આઈટી અને કમ્યુનિકેશન વગેરે હોય, તેના માટે આપવામાં આવે. ટેક્સ વિશેષજ્ઞ માને છે કે કેટલાક અલાઉન્સમાં બદલામાં સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન પુરુ પાડવુ સરકારનો સારો નિર્ણય છે. જે વર્ક ફ્રોમ હોમના કલ્ટરને ભવિષ્યમાં ફાયદો કરાવશે.