ઉત્તરપ્રેદશ ધર્માન્તરણ કેસમાં મુખ્ય આરોપી ઈરફાનનું સૌરાષ્ટ્ર કનેકશન સામે આવ્યું છે. આરોપી 2017માં રાજકોટમાં હતો તેવી માહિતી સામે આવી છે
ધર્માન્તરણના મુખ્ય આરોપીનું સૌરાષ્ટ્ર કનેકશન સામે આવ્યું
દિવ્યાંગ માટેના કાર્યક્રમમાં થયો હતો શામેલ
વડાપ્રધાનનું ભાષણ સાઈન લેગ્વેંજમાં ટ્રાન્સલેટ કર્યુ હતું.
ઉત્તરપ્રદેશમાં થોડાક દિવસો પહેલા ધર્માન્તરણને લઈને એક કેસ સામે આવ્યો હતો જે ઘણો ચર્ચાનું વિષય બન્યો હતો. આ કેસના મૂળ આરોપી ઈરફાન ખ્વાજાનું હવે સૌરાષ્ટ્ર કનેકશન સામે આવ્યું છે. આરોપી 2017માં રાજકોટ હતો અને તે દિવ્યાંગ માટેના કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કાર્યક્રમમાં તે વડાપ્રધાન મોદીનો અવાજ બન્યો હતો.
ઈશારામાં ભાષણ સમજાવ્યું
આરોપીએ PM ના સંબોધનનું દિવ્યાંગો માટે સાઈન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કર્યું હતું. એટલે કે સાંભળી ન શકનાર લોકોને આરોપીએ ઈશારામાં ભાષણ સમજાવ્યું હતું. સમગ્ર કેસમાં આરોપીનો લોકોને ધર્માન્તરણ કરાવામાં મોટો ભાગ છે.
મૂક બધિરોને ટાર્ગેટ કરતો
આપને જણાવી દઈએ કે આરોપી ઈરફાન મોટા ભાગે મૂક બધિરનેજ ટાર્ગેટ કરતો હતો. તે બાળકોને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરતો હતો. બીજા ધર્મ વીશે બુરાઈ કરીને તે બાળકોને ભડકાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રિપ્લાનેડ રીતે બાળકોને ધર્માન્તરણના ચક્રવ્યૂહમાં લઈ જતો હતો.
ગુજરાત અને ઉત્તપ્રદેશ એટીએસ દ્વારા મોટી કાર્યવાહી
આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ અને ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ઉમર ગૌતમ નામના આરોપીની પણ સંડોવણી છે જે પહેલા હિન્દૂ હતો પરંતુ બાદમાં તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ઉપરાંત ગુજરાત એટીએસની ટીમે સલાઉદ્દીન શેખ નામના એક આરોપીની ધરપકડ કરી છે જેના પર ફંડીંગના આરોપો લાગ્યા છે.
હવાલા મારફતે રૂપિયા મોકલ્યા
સલાઉદ્દીન શેખ પર 10 લાખનું ફંડિંગ કર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. તેણે આ રૂપિયા ત્રણ વખત હવાલા મારફતે મોકલવ્યા હતા. આ સમગ્ર મામલે હજુ પણ તપાસ ચાલુ છે. જેથી આ કેસમાં બીજા ઘણા કનેકશન સામે આવી શકે છે.