ગુજરાતમાં પાટીદારોની બેઠક બાદ ભાવનગર ખાતે કોળી સમાજના વીર માંધાતા ગ્રૂપનું સંમેલન યોજાયું, ગુજરાતભરમાંથી 200 જેટલા કોળી સમાજના આગેવાનોએ આ સંમેલનમાં લીધો ભાગ
ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું
વીર માંધાતા ગ્રુપ દ્વારા ભાવનગરમાં યોજાયું સંમેલન
ગુજરાતભરમાંથી 200થી વધુ કોળી સમાજના આગેવાનો હાજર
ભાવનગર ખાતે કોળી સમાજના વીર માંધાતા ગ્રૂપનું સંમેલન યોજાયું હતું. ગુજરાતભરમાંથી 200થી વધુ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સાથે કોંગ્રેસ-ભાજપ સાથે સંકળાયેલા કોળી સમાજના આગેવાનો પણ બેઠકમાં હાજર હતા. જેમાં રાજુ સોલંકી, વિમલ ચુડાસમા, કરશન વેગડ સહિતના કોળી નેતાઓ સંમેલનમાં હાજર હતા.
કરશન ભાઈ વેગડ-કોંગ્રેસ
વિમલભાઈ ચુડાસમા-ધારાસભ્ય કોંગ્રેસ
ઉમેશભાઈ મકવાણા-ભાજપ
ચતુરભાઈ મકવાણા-ભાજપ
ધરમશી ઢાપા-VPP
ચંદ્રકાંત સોલંકી-સુરત ઉધોગપતિ
ખોડાભાઈ ખસિયા-ભાજપ
આનંદ ભાઈ ડાભી-ભાજપ
નીતાબેન રાઠોડ-કોંગ્રેસ આગેવાન
બિંદુબેન પરમાર-ભાજપ
અખિલ ભારતીય કોળી સમાજની પ્રાચીમાં 27 જૂને મિટિંગ યોજાશે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા છે. પરંતુ બાવળિયા પ્રાંચીમાં યોજાનારી બેઠકમાં હાજરી આપશે નહીં. આ બેઠકમાં શિક્ષણ, રોજગારી, ખેતી જેવા મુદ્દાની ચર્ચા કરાશે. સાથે ગુજરાતમાં કોળી મુખ્યમંત્રીની માગનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાશે. ચૂંટણી નજીક આવતા સામાજિક-રાજકીય સમીકરણ તેજ બન્યા છે.
વીર માંધાતા ગ્રૂપ શું છે?
સૌરાષ્ટ્રના કોળી સમાજનું મહત્વનું છે આ ગૃપ
ભાવનગર આસપાસ રહેતા કોળી સમાજ પર આ ગૃપનું પ્રભુત્વ
હાલ રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનો છે આ સંગઠનમાં મોટો હોલ્ટ
કોળી સમાજના યુવાનોમાં વીર માંધાતા ગૃપ છે ફેવરીટ
સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં વીર માંધાતા ગૃપ સક્રિય
સમાજ માટે અનેક મુદ્દા ઉઠાવી ચુક્યું છે વીર માંધાતા ગૃપ
કોળી રાજનીતિને સમાયંતરે ઉઠાવતું રહ્યું છે આ ગૃપ
અખિલ ભારતીય કોળી સમાજ શું છે?
અખિલ ભારતીય કોળી સમાજ, કોળીઓની એક સામાજિક સંસ્થા છે
રાજ્ય અને દેશના કોળી આગેવાનો આ સંસ્થા સાથે છે સંકળાયેલા
મંત્રી કુવરજી બાવળિયા આ સંસ્થાના છે પ્રમુખ
સમાજમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા મુદ્દા ઉઠાવતી રહી છે સંસ્થા
ગુજરાતમાં કોળી સમાજમાં આ સંસ્થાની છાપ રહી છે ખુબ સારી