પાટીદાર આંદોલનના આગેવાનમાંથી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ લોકસભાના પરિણામ બાદ હવે ફરી સક્રિય થઈ રહ્યા છે. તા, 20 જુલાઈ 1993 ના રોજ હાર્દિકનો જન્મ થયો હતો. હાર્દિકના પિતા ભરતભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તે આગામી 20 જુલાઈએ 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષ માં પ્રવેશ કરશે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક આગામી 20 જુલાઈએ તેનો જન્મદિવસે એક મોટું સંમેલન કરવા જઇ રહ્યો છે. ગાંધીનગરમાં ગુજરાત જન ચેતનાના બેનર હેઠળ હાર્દિક સંમેલન યોજી રહ્યો છે તેમાં વિચારધારાની લડાઈમાં સાથ આપનાર દેશના અનેક રાજનેતાઓ સામેલ થશે. હાલ મોટા રાજનેતાઓને આમંત્રણો અપાઈ રહ્યા હોવાનું હાર્દિકની ટીમના વર્તુળો કહી રહ્યા છે ગુજરાતના દરેક ગામોમાંથી પ્રતિનિધિઓ આવે તેવું આયોજન થઇ રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, લોકસભાના પરિણામ બાદ કોંગ્રેસ જાણે મૂર્છિત અવસ્થામાં છે ત્યારે ફરી સક્રિય થવા હાર્દિકની આ રણનીતિ છે. દેશના અનેક નેતાઓ ગુજરાતની વર્તમાન સમસ્યાઓ પર ભાષણ આપશે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા ચારેક વર્ષથી હાર્દિક પટેલ ચર્ચામાં છે. હાર્દિકની બહેન મોનીકા અનામતને કારણે સરકારી સ્કોલરશીપના મળતા તે અપસેટ થયો હતો. અનામત સામેની લડતનું વિચાર બીજ આ ઘટનાથી રોપાયું હતું. સહજાનંદ કોલેજ માં અભ્યાસ કરનાર હાર્દિક જીએસ ની ચૂંટણી લડયો હતો.
નોંધનીય છે કે, 2012 ની આસપાસ સરદાર પટેલ ગ્રુપ માં જોડાયો હતો બાદમાં પાટીદાર અનામત આંદોલનનો કન્વીર બન્યો હતો. 2015 માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ માં મોટું સંમેલન બોલાવ્યા બાદ હાર્દિક ચર્ચામાં આવ્યો હતો. આંદોલનકારીમાંથી તે કોંગ્રેસ ના યુવા નેતા બન્યો અને 2019 લોકસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી માં હેલીકૉપ્ટરમાં ઘૂમી પ્રચાર કાર્ય કર્યું હતું.
આગામી દિવસોમાં કોંગ્રેસ માં રાષ્ટ્રીય સ્તરે નવી ટીમ બની રહી છે તેમાં હાર્દિકને મહત્વની જવાબદારી અપાશે તેવી ચર્ચા વચ્ચે આગામી 20 જુલાઈ 19 ના દિવસે હાર્દિક ગાંધીનગરમાં મોટું જનચેતના સંમેલન બોલાવી તે હજુ જાહેર જીવન અને રાજકીય રાજકીય રીતે સક્રિય છે તેવું સાબિત કરવા કોશિશ કરશે.