જૂનાગઢ ભવનાથમાં રવાડી રૂટ પર જ દિવાલનું ચણતર કરવામાં આવ્યું હતું, દિવાલને લઈ સાધુ-સંતોએ જોરદાર વિરોધ કર્યો હતો.
તળેટીમાં બાધા રૂપ જગ્યા ખુલ્લી કરાઈ
જૈન અગ્રણીઓ-સંતની બેઠકમાં સમાધાન
રવાડી રૂટ પર કરાયું હતું દિવાલનું ચણતર
જૂનાગઢના ભવનાથ તળેટીમાં રવાડી રૂટ પર બાધારૂપ જગ્યા ખુલી કરવામાં આવી છે. બાધારૂપ જગ્યાને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જૈન સમાજના અગ્રણીઓ અને સંતોની ચર્ચામાં સમાધાન થયું છે. રવાડી રૂટ પર જ દિવાલનું ચણતર કરવામાં આવ્યું હતું. દિવાલને લઈ સાધુ-સંતોએ જોરદાર વિરોધ કર્યો હતો.
ભવનાથના શાહી રૂટ પર સરકારે જૈન સમાજને જગ્યા આપી હતી. જે જગ્યા સરકાર દ્વારા આપવામાં આવી હતી. તેમાંથી 30 ફૂટ જેટલી જગ્યા રવેડી રૂટને બાધારૂપ બનતી હતી. જેના કારણે રવેડી માટે રસ્તો સાંકળો બન્યો હતો. જો કે, વિવાદનો અંત લાવવા માટે ખુદ જૈન સમાજના ભાઈ મહારાજ દ્વારા જગ્યા ખુલી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.