ડાકોરનો 1200 વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે, બે મહિલાઓએ મંદિરમાં પૂજા કરવા માટે અધિકારની માંગ કરી છે, ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે.
ડાકોર મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ
1200 વર્ષમાં પ્રથમવાર મહિલા કરશે પૂજા
મંદિરમાં પૂજા કરવાનો માગ્યો હતો અધિકાર
બે બહેનોએ ડાકોરના રણછોડરાય મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓએ સીધા વારસદાર હોવાથી બંને બહેનોએ મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો
1200 વર્ષમાં પ્રથમવાર મહિલા કરશે પૂજા
મહત્વનું છે કે રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, 2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો.
મંદિરમાં પૂજા કરવાનો માગ્યો હતો અધિકાર
આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ કહ્યુ છે. ત્યારે આ કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે
ડાકોર મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ
બંને બહેનોએ જણાવ્યું કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા, તેમનું 1078માં નિધન થતા વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ, ઈન્દિરાબેને કહ્યું કે અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો જેમાં વર્ષ 2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા અનુસાર 2 અને 3 ઓક્ટોબરે મંદિરમાં સેવાપૂજા કરવોનો અમારો અધિકાર છે. તો મંદિરે પણ અમને પત્ર મોકલીને પરિવારના પ્રતિનિધિને મળવા બોલાવ્યા છે. મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે ઝઈને સેવાપૂજા કરી શકે છે પૂજા પહેલા અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે અત્યારે સુધીમાં કોઈ મહિલાએ ક્યારે મંદિરમાં પૂજા અર્પણ કરી નથી.