ડાકોર મંદિર વિવાદ : વારાદારી તરીકે અમે પ્રસાદ ભોગ હક્ક મુજબ લીધો છે અને મારા કાકા કુટુંબો પણ અમને રોકતા નથી,બીજા દિવસે પણ મંદિરે બંને બહેનોને ગર્ભગૃહમાં પ્રવેશ ન આપ્યો
ડાકોર મંદિરમાં પ્રવેશ વિવાદનો મામલો
બીજા દિવસે મંદિરે બન્ને બહેનોને ગર્ભગૃહમાં ન આપ્યો પ્રવેશ
મંદિર સામે હું કોર્ટની અવમાનનાનો કેસ કરીશઃ ઈન્દિરાબેન
ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવાને લઈ ને વિવાદ સર્જાયો છે જેમાં વારાદારી પરિવારને બે બહેનોએ સેવાપૂજા કરવામાં માટે અધિકારીની માંગ કરતા વિવાવ સર્જાય છે, આપને જણાવી દઈએ કે મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ મહિલાએ અત્યાર સુધી પૂજા કરી નથી, તો બીજી તરફ ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોનું કહેવું છે કે અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો જેમાં વર્ષ 2018માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા અનુસાર 2 અને 3 ઓક્ટોબરે મંદિરમાં સેવાપૂજા કરવોનો અમારો અધિકાર છે.
ડાકોર મંદિરમાં પ્રવેશ વિવાદનો મામલો
મહત્વનું છે ગઈ કાલે પણ બંને બહેનોને મંદિરમાં પૂજા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો ત્યારે ઈન્દીરાબેને જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ પણ અમારા જ પરિવારનો વારો છે, જેથી અમે બીજા દિવસે પણ અહીં આવીશું, પરતું આજે પણ બંને બહેનોને ગર્ભગૃહમાં પ્રવેશ ન મળતા તેમણે કોર્ટની અવગણના નો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વારાદારી તરીકે અમે પ્રસાદ ભોગ હક્ક મુજબ લીધો છે અને મારા કાકા કુટુંબો પણ અમને રોકતા નથી તેવું કહેતા ઈન્દિરાબેને મંદિર સામે કોર્ટની ચુકાદાની અવમાનના બદલ કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું. વધુમાં ઈન્દિરા બહેને જણાવ્યું હતું કે કમિટી સમક્ષ તમામ દરસ્તાવેજ રજૂ કર્યા જેમાં 50 વર્ષમાં અમારા વિરુદ્ધ કોઈ જજમેન્ટ આવ્યા નથી. હવે આજે પણ મંદિરમાં બહેનોને પ્રવેશ ન મળતા આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું ?
મંદિર વિવાદનો શું છે સમગ્ર મામલો
ઈન્દિરાબેન પંડ્યાએ જણાવ્યું છેકે ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ 1978માં તેઓના અવસાન બાદ તેમના પરિવાર માંથી કોણ ભગવાનની સેવા પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો. બંને મહિલાઓના કાકાના પરિવારજનો જયંતિલાલ સેવક અને ગદાધર સેવકે સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરતા લાંબા સમય સુધી કેસ ચાલ્યો હતો. જોકે 2018માં આ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છેેે.