કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ વધી રહ્યો છે. જેથી સરકાર દ્વારા હવે Karnataka Education Act-1983ની કલમ લાગૂ કરી દરેક વિદ્યાર્થી માટે એક સમાન યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે.
કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને વિવાદ
સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓ હિજાબ ન પહેરવા આદેશ
સરકારે દરેક વિદ્યાર્થી માટે એક સમાન યુનિફોર્મ નક્કી કર્યો
કર્ણાટકમાં સ્કૂલ અને કોલેજોમાં હાલ હિજાબ પહેરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અહીયા સ્કૂલોમાં બિજાબ પહેરવાની અનુમતી આપવામાં નથી આવી રહી. ઘણી જગ્યાએ આ મામલે વિદ્યાર્થીનીઓ દ્વારા ભગવો સ્કાફ પહેરીને તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ વાતને લઈને હાલ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન છે.
સરકારી શાળાઓમાં નક્કી કરેલો યુનિફોર્મ પહેરવો પડશે
આ વિવાદને લઈને હવે કર્ણાટક સરકાર દ્વારા Karnataka Education Act-1983ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે. આ એક્ટ પ્રમાણે સ્કૂલમાં બધાએ એકજ જેવો યુનિફોર્મ પહેરવો પડશે. જેમા સ્કૂલ તેંમનો યુનિફોર્મ પોતે પણ સિલેક્ટ કરી શકશે. જોકે સરકારી શાળાઓમાં એકજ નક્કી કરેલો યુનિફોર્મ પહેરીને જવું પડશે. પરંતુ આ આદેશ આપ્યા પછી હિજાબ વિવાદ વધી ગયો છે.
પહેલાથી વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરતી આવી છે
મુસ્લિમ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ પહેલાથી હિજાબ પહેરીને ભણતી આવી છે. અગાઉ ક્યારેય પણ આ મામલે કોઈ વિવાદ નથી થયો. સાથેજ તેમનું કહેવું છે કે તેમના ઘરની દરેક મહિલાઓ આજ રીતે ભણતી આવી છે.
ભાજપ નેતાનું નિવેદન
આ વિવાદને લઈને ભાજપના સીટી રવિએ કહ્યું કે શાળાઓમાં માત્ર સ્કૂલ યુનિફોર્મ રહેવો ફરજિયાત હોવો જોઈએ. કોંગ્રેસ જાણીજોઈને વિદ્યાર્થીઓ વચ્ચે મતભેદ પૈદા કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે મારી વિદ્યાર્થીનીઓને અપીલ છે તે તેઓ તેમની શિક્ષા પર ધ્યાન આપે કારણકે શિક્ષા તેમનું ભવિષ્ય નક્કી કરશે યુનિફોર્ન નહી કરે.
કોંગ્રેસ ધારાસભ્યનું નિવેદન
બીજી કોંગ્રેસ ધારાસભ્ય કનીજ ફાતીમાં એવું કહ્યું કે હું હિજાબ પહેરની ક્યાંય પણ એન્ટ્રી લઈ શકું છું તો પછી વિદ્યાર્થીનીઓને કેમ રોકવામાં આવી રહી છે. હિજાબ અમારો હક છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે અમે અમારી જિંદગી આપી શકીએ છે પરંતુ હિજાબ ન આપી શકીએ. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમા તેમણે કહ્યું હતું કે ઘણા લોકો બિજાબને છોકરીઓની શિક્ષા વચ્ચે લાવી રહ્યા છે. જેથી તેમનું ભવિષ્ય અંધકારમાં જઈ શકે છે.
ગત મહિને આ વિવાદ વધ્યો હતો
વિવાદને કારણે રાજકારણ ગરમાયું
ઉલ્લેખનીય છે કે ગત મહિને ઉડ્ડપીંની એક સરકારી કોલેજમાં 6 વિદ્યાર્થનીઓએ હિજાબ પહેરીને એંટ્રી લીધી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. કારણકે કોલેજ પ્રશાસન દ્વારા તેની મંજૂરી આપવામાં નહોતી આવી તેમ છતા વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને અંદર ગઈ હતી. જોકે બાદમાં બધીજ વિદ્યાર્થીનીઓ તે રીતે હિજાબ પહેરીને આવવા લાગી હતી. તો તેના ભાગ રૂપે અમુક વિદ્યાર્થીનીઓએ ભગવો સ્કાર્ફ લગાવાનો શરૂ કર્યો ત્યારથી વિવાદ વધી ગયો અને આ મુદ્દાને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે.