બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તિરુપતિ બાલાજીના લાડુને લઈ વિવાદ, જાણો કેવી રીતે લાખો ભક્તો માટે બનાવાય છે પ્રસાદ

વિવાદનો 'પ્રસાદ' / તિરુપતિ બાલાજીના લાડુને લઈ વિવાદ, જાણો કેવી રીતે લાખો ભક્તો માટે બનાવાય છે પ્રસાદ

Last Updated: 11:26 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો પરંતુ 1984થી આ માટે LPG ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે.

તિરુપતિ તિરુમાલા મંદિર તેના પ્રસાદ વિવાદને લઇને ચર્ચામાં છે. મંદિરમાં લાડુના પ્રસાદમાં શુદ્ધ ઘીના બદલે પ્રાણીની ચરબી અને બીફની હાજરીની રિપોર્ટમાં પુષ્ટિ થઇ હોવાના ટીડીપીના આક્ષેપો બાદ વિવાદ શરૂ થયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર તિરુપતિ બાલાજીમાં લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તેલ, બીફ, ચરબી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસાદ માટે ચંદ્રાબાબુ નાયડુએ વાય.એસ. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી પૂર્વની સરકાર પર આરોપ મુક્યો છે...

આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે

તિરુપતિ બાલાજી મંદિરમાં આ ખાસ પ્રકારના લાડુનો પ્રસાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે. મંદિરમાં આ લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે. મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો પરંતુ 1984થી આ માટે LPG ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે.

પ્રસાદ કેવી રીતે બને છે ?

તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ બનતા લાડુનો પ્રસાદ એક ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેને દિત્તમ કહે છે. આ પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ, કાજુ, કિસમિસ, ખાંડની કેન્ડી, ઘી, એલચી વગેરે મિક્સ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિત્તમમાં માત્ર 6 વખત ફેરફાર કરવામાં આવ્યા છે. દરરોજ પ્રસાદ તૈયાર કરવા માટે 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઈલાયચી, 300 થી 400 લિટર ઘી, 500 કિલો ખાંડ કેન્ડી, 540 કિલો કિસમિસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: તિરુપતિના પ્રસાદને લઈ રાજકારણ ગરમાયું, TDPના દાવા પર કોંગ્રેસે કરી CBI તપાસની માગ

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ladu Prasad Tradition Tirupati Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ