આમ આદમી પાર્ટીના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીની એક ફેસબુક પોસ્ટને લઈ ભાજપના નેતાએ કર્યો ખુલાસો, પાકિસ્તાનનો ફોટો દર્શાવી ગુજરાતનો ગણાવ્યો
AAP નેતા મહેશ સવાણી દ્વારા ફેસબુક પોસ્ટ મામલો
ભાજપ નેતા યજ્ઞેશ દવેએ મહેશ સવાણી પર કર્યા પ્રહાર
યજ્ઞેશ દવેએ મહેસ સવાણીની ફેસબુક પોસ્ટને લઈને કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીની એક ફેસબુક પોસ્ટને લઈ વિવાદ સામે આવ્યો છે. આપ નેતા સવાણીએ પોતાના FB પેજ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સુકાયેલા વૃક્ષને વીજળીનો થાંભલો બનાવી દેવાયો હતો. અને વૃક્ષના સહારે વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો. આ પોસ્ટ સાથે મહેશ સવાણીએ કેટલાક શબ્દો પણ લખ્યા હતા. જેમાં કહ્યું કે, તૌકતે વાવાઝોડાના બે મહિના બાદ પણ વીજળીની વ્યવસ્થા ઉભી ન થતા લોકો આત્મનિર્ભર બન્યા. ગુજરાત મોડલ અને ડિજિટલ ઈન્ડિયા વિશે પણ ટિપ્પણી કરી હતી.
મહેશ સવાણીની પોસ્ટ પર ભાજપ નેતાએ કર્યો ખુલાસો
AAPના નેતા મહેશ સવાણીની આ પોસ્ટ બાદ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટિપ્પણી કરી હતી. અને મહેશ સવાણીની પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું કે, તમે પાકિસ્તાન સિંધની તસ્વીર દેખાડી સત્તા લાલચ માટે આટલી નિમ્ન રાજનીતિ કરશો? સાથે કહ્યું કે, આ પોસ્ટ તેમણે ડીલીટ કરી છે. જો કે આ બાદ મહેશ સવાણીની પોસ્ટ પર અનેક ભાજપના કાર્યકરોએ ટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. અને સાથે AAPને પણ ટાર્ગેટ કર્યો હતો.