ભાવનગરમાં મનપાની જગ્યા પર પરશુરામ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. મનપાની જગ્યા પર બનનાર પાર્કમાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પણ મેયરનું નામ ગાયબ છે. આ પત્રિકામાં કોંગ્રેસના MLAના નામ લખતા વિવાદ થયો છે. મહત્વનું છે કે, જે જગ્યા પર પાર્ક બનવાનો છે તેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ જગ્યા પર પાર્ક બનતા અનેક સવાલ થઈ રહ્યા છે. જાહેર કરવામાં આવેલી પત્રિકામાં નિમંત્રણ આપનાર સંસ્થા તરીકે બ્રહ્મસમાજનું નામ લખાયું છે..