નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનું વલણ ભારતની ગુપ્તચર એજન્સી રૉના ચીફ સામંત કુમાર ગોયલને મળ્યા બાદ નરમ પડતું નજર આવ્યું છે. ઓલીએ વિજ્યાદશમીની શુંભકામનાઓ આપતા પોતાનો ફોટોની સાથે નેપાળનો જૂનો નક્શો શેર કર્યો છે. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા શામિલ નથી. જોકે વિપક્ષ તરફથી ટીકા બાદ ઓલીની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે નક્શો નાનો છે એટલે આ ભાગો દેખાતા નથી.
ઓલીએ FB પર શેર કર્યો જૂનો નક્શો
ઓફિસે સ્પષ્ટતા કરી છે કે નક્શો નાનો છે એટલે આ ભાગો દેખાતા નથી
પ્રધાનમંત્રી તરીકે તેમણે સંસદ દ્વારા પાસ થયેલો નવો નક્શો જ વાપરવો જોઈએ- વિપક્ષ
મળતી માહિતી મુજબ ઓલીના વલણમાં પરિવર્તન રૉના ચીફ સામંત કુમાર ગોયલ સાથે બુધવારે કાઠમંડુમાં પ્રધાનમંત્રી આવાસ બલુઆતારમાં મુલાકાત બાદ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ આવતા મહિને નેપાળ જઈ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર વિજ્યાદશમીનો શુભકામના સંદેશ આપતા જૂનો નક્શો દર્શાવવાના વિવાદ બાદ ઓલીના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી. તેમણે આરોપને ફગાવી દેતા કર્યું કે નક્શો નાનો છે એટલે આ વિસ્તારો દેખાઈ નથી રહ્યાય આ બાદ તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયા હતા.
જૂનો નક્શો શેર કરવાને લઈને વિપક્ષી પાર્ટીના નેપાળી કોંગ્રેસના કેન્દ્રીય નેતા ગગન થાપાએ કહ્યું કે ઓલી વ્યક્તિગત રીતે કોઈ પણ નક્શો મુકી શકે છે પરંતુ પ્રધાનમંત્રી તરીકે તેમણે સંસદ દ્વારા પાસ થયેલો નવો નક્શો જ વાપરવો જોઈએ. ઓલીનું પગલું દેશ હિતમાં નથી. જોકે નેપાળી સરકારે સ્પષ્ટતા કરી કે વિજ્યાદશમીમાં શેર થયેલા નક્શામાં ટેક્નીકલ કારણોસર ખામી હતી. અને મેનેજમેન્ટ તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. ઓલીના વિદેશ બાબતોના સલાહકાર રાજન ભટ્ટારાઈએ કહ્યું કે નેપાળે કાલાપાની વિસ્તાર માટે પોતાનો દાવો ઓછો નથી કર્યો.