અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં દર્દીઓ ઓછા આવી રહ્યા છે જેનું એક કારણ આયુષમાન કાર્ડ PMYJ કાર્ડ નહિ સ્વીકારવાનું છે.
અમદાવાદની SVP હોસ્પિટલ વિવાદમાં
'SVPમાં મા કાર્ડ અને PMYJ કાર્ડ ચાલતા નથી'
યોગ્ય સમયે રજૂઆત કરી કાર્ડ શરૂ કરાશે:મેયર
કાર્ડ ન ચાલતા હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ પરેશાન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડના ખર્ચે આધુનિક એવી SVP હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. તંત્ર નું કહેવું હતું કે શહેરીજનોને સારી આરોગ્ય સુવિધા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી બનશે.પણ હકીકત એ છે કે SVP હોસ્પિટલમાં લોકો આવતા નથી કારણ કે ત્યાં સરકારી કાર્ડ ચાલતું નથી.
વિપક્ષ દ્વારા પણ સતત આ મામલે રજૂઆત કરવામાં આવે છે
વિપક્ષ દ્વારા અનેક વાર કાર્ડ ચાલુ કરવા રજૂઆત કરાઈ છે પણ બહેરા કાને તે સંભળાતું નથી.રાજ્ય સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2022નાં રોજ પરિપત્ર કરી SVP હોસ્પિટલને માં કાર્ડ નો સ્વીકાર કરવાનું કહેવાયું હતું પણ તેનો અમલીકરણ કરતું નથી.સૂત્રોનું માનીએ તો 1200 બેડની હોસ્પિટલ માં રોજના 24 ઈનડોર અને 300 ઓપીડી દર્દીઓ આવી રહ્યા છે.
વિપક્ષ નહિ પણ ખુદ ભાજપનાં કોર્પોરેટર પણ આ અંગે પાર્ટીમાં રજૂઆત કરાઈ છે
માત્ર વિપક્ષ નહિ પણ ખુદ ભાજપ નાં કોર્પોરેટર પણ ઈચ્છી રહ્યા છે કે કાર્ડ ચાલુ થાય.આ અંગે પાર્ટીમાં રજૂઆત કરવામાં આવી છે પણ હજુ કંઈ નિર્ણય કર્યો નથી.તો આ અંગે તંત્રનું કહેવું છે કે આગામી દિવસોમાં આ અંગે વિચાર કરી જાહેરાત કરવામાં આવશે.
યોગ્ય સમયે રજૂઆત કરી કાર્ડ શરૂ કરવામાં આવશે: મેયર
બીજી તરફ અમદાવાદની SVP હોસ્પિટલ વિવાદ મામલે અમદાવાદનના મેયરે આ મામલે નિવેદન આપતાં જણાવ્યું કે, યોગ્ય સમયે રજૂઆત કરી કાર્ડ શરૂ કરવામાં આવશે.ત્યારે અહીં પ્રશ્ન એ થાય કે અન્ય ખાનગી હોસ્પિટલમાં કાર્ડ ચાલે તો SVP માં કેમ નહિ?, શું SVP માત્ર ધનિક લોકો માટે છે? ખાનગી અને અન્ય સરકારી હોસ્પિટલમાં દર્દીઓ વધુ જાય તે માટે નો પ્રયાસ છે? SVP હોસ્પિટલ ધોળો હાથી સાબિત થયો છે.ત્યારે તંત્ર દર્દીઓ માટે રાહત આપે તેવો નિર્ણય કરે છે કે કેમ તે જોવું રહ્યું