Controversy over inauguration of new parliament, Mayawati said, should be considered during the presidential election!
નવી સંસદનો વિવાદ /
માયાવતીએ કહ્યું, રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે વિચારવું જોઈએ ને! તો આ કોંગ્રેસ નેતા બોલ્યા- PM મોદી નહીં તો શું પાકિસ્તાનના PM ઉદ્ઘાટન કરશે?
Team VTV11:47 AM, 26 May 23
| Updated: 11:49 AM, 26 May 23
New Parliament Building News: માયાવતીએ સવાલ કર્યો હતો કે, આદિવાસી મહિલાઓના સન્માનની વાત કરનારા વિપક્ષે ચૂંટણીમાં તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા? કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે કહ્યું , PM મોદી નહીં તો શું પાકિસ્તાનના વડાપ્રધાને ઉદ્ઘાટન કરવું જોઈએ ?
દિલ્હીમાં બનેલ નવી સંસદના ઉદ્ઘાટનનો સતત વધી રહ્યો વિવાદ
25 રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નથી કોઈ વિરોધ
BSPના માયાવતીએ વિપક્ષના સમગ્ર વિરોધને દંભ ગણાવ્યો
નવી સંસદ દેશની સંપત્તિ, ભાજપ કે RSSનું કાર્યાલય નથી: એચડી દેવગૌડા
PM મોદી નહીં તો શું પાકિસ્તાનના વડાપ્રધાને ઉદ્ઘાટન કરવું જોઈએ: કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ
દિલ્હીમાં બનેલ નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ સતત વધી રહ્યો છે. આ દરમિયાન હવે અનેક પક્ષોનાં વિરોધ વચ્ચે હવે PM મોદીનાં સમર્થનમાં પણ અનેક પક્ષો આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી સહિત 19 વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે.વિરોધમાં ઊભેલા પક્ષોનું કહેવું છે કે, નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવો. જો તમે તેમના હાથે ઉદ્ઘાટન નહિ કરાવો તો અમે પણ નથી આવવાના. જોકે જ્યાં વિરોધ હોય ત્યાં સમર્થન પણ હોય જ. એવી રીતે દેશની 25 રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ વિરોધ નથી નોંધાવ્યો. તેમાંની એક છે બહુજન સમાજ પાર્ટી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2023
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ કાર્યક્રમને ટેકો આપતા એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે વિપક્ષના સમગ્ર વિરોધને દંભ ગણાવ્યો અને કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન ન કરવા બદલ સંસદનો બહિષ્કાર અયોગ્ય છે. જો સરકારે બનાવ્યું હોય તો તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર માત્ર સરકારને છે. માયાવતીએ વિપક્ષના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં આ મુદ્દાને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવામાં આવી રહ્યો હતો. દલીલમાં માયાવતીએ સવાલ કર્યો હતો કે, આદિવાસી મહિલાઓના સન્માનની વાત કરનારા વિપક્ષે ચૂંટણીમાં તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા?
3. देश को समर्पित होने वाले कार्यक्रम अर्थात नए संसद भवन के उद्घाटन समारोह का निमंत्रण मुझे प्राप्त हुआ है, जिसके लिए आभार और मेरी शुभकामनायें। किन्तु पार्टी की लगातार जारी समीक्षा बैठकों सम्बंधी अपनी पूर्व निर्धारित व्यस्तता के कारण मैं उस समारोह में शामिल नहीं हो पाऊंगी।
માયાવતી ખરેખર બસપાની સમીક્ષા કરવામાં વ્યસ્ત?
નવી સંસદ પર ભાજપ સરકારને ટેકો આપનાર માયાવતીએ પણ તેમના છેલ્લા ટ્વીટમાં કહ્યું હતું કે, તેઓ પાર્ટીની સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત છે, તેથી તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. આ નિવેદનને વાસ્તવિકતા તરીકે સ્વીકારવાનું મન થતું નથી. કારણ કે, 2017ની ચૂંટણી પછી બહુજન સમાજ પાર્ટીની સ્થિતિ પાર્ટીમાં સમીક્ષા જેવી કોઈ પહેલને અશક્ય બનાવે છે.
2.राष्ट्रपति द्रौपदी मुर्मू जी द्वारा नए संसद का उद्घाटन नहीं कराए जाने को लेकर बहिष्कार अनुचित। सरकार ने इसको बनाया है इसलिए उसके उद्घाटन का उसे हक है। इसको आदिवासी महिला सम्मान से जोड़ना भी अनुचित। यह उन्हें निर्विरोध न चुनकर उनके विरुद्ध उम्मीदवार खड़ा करते वक्त सोचना चाहिए था
ઘણીવાર ભાજપને ફાયદો કરાવે છે માયાવતી
માયાવતી સમયાંતરે ભાજપની આકરી ટીકા કરતી રહે છે. પરંતુ તેમની નીતિઓ ઘણીવાર ભાજપને ફાયદો કરાવે છે. હવે ફરી એકવાર જ્યારે વિપક્ષ એકત્ર થઈ રહ્યો છે, ત્યારે પણ માયાવતીનો પક્ષ ભાજપની સાથે જોવા મળી રહ્યો છે. જોકે કાર્યક્રમમાં તે નહિ આવે કારણ કે તે પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે સવાલ એ છે કે, કયા પક્ષ માટે અને કોના માટે?
"I will be attending the inauguration of the new building of Parliament House. That magnificent building was built with the tax money of the people of the country. It belongs to the country. It is not BJP or RSS office," says HD Deve Gowda JD(S) supremo and former PM.
એચડી દેવગૌડાનું મોટું નિવેદન
ભૂતપૂર્વ PM અને JD(S) સુપ્રીમો એચડી દેવગૌડાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આ રવિવારે દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે, તે દેશની સંપત્તિ છે. તે ભાજપ કે આરએસએસનું કાર્યાલય નથી.
#WATCH | If the Parliament of India will not be inaugurated by the PM of India, will it be inaugurated by the PM of Pakistan? We have the right to oppose Modi but it is not right to oppose the country. I appeal to the opposition to reconsider its decision: Acharya Pramod on… pic.twitter.com/h7VWk0oPoK
તો શું પાકિસ્તાનના વડાપ્રધાને કરવું જોઈએ ઉદ્ઘાટન ?
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવા બદલ પોતાની જ પાર્ટીની ટીકા કરી છે અને પૂછ્યું છે કે, શું પીએમ નરેન્દ્ર મોદી નહીં તો પાકિસ્તાનના વડાપ્રધાને તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. તેમણે કહ્યું, મોદીનો વિરોધ કરવાનો અમને અધિકાર છે, પરંતુ દેશનો વિરોધ કરવો યોગ્ય નથી. હું વિપક્ષને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરું છું.