વડોદરાના સસ્પેન્ડેડ અને પત્નીની હત્યાના આરોપ PI અજય દેસાઈ બાદ વધુ એક પોલીસ વિભાગના ભરૂચમાં PSI પર પત્નીની હત્યાનો લાગ્યો આક્ષેપ
વધુ એક PSI પત્નીની હત્યાનો આરોપ
ભરુચના PSI રણજીતસિંહ સોલંકી પર હત્યાનો આરોપ
પત્નીના પરિવારજનોએ PSI લગાવ્યો ગંભીર આરોપ
ભરૂચના પોલીસ સબ ઈન્સપેક્ટર રણજીતસિંહ સોલંકી ઉપર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. પત્નીને માર મારી હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જોકે મહિલા ચક્કર ખાઈને કેનાલમાં પડી હોવાનો PSIએ દાવો કર્યો છે. મહત્વનું છે કે, આ ઘટના 27 જુલાઈના રોજ બની હતી. ત્યાર મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ભરૂચથી મહિલાને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવી હતી. મહિલાના મૃત્યુ બાદ PSI રણજીતસિંહ હોસ્પિટલથી નિકળી ગયા છે.
PSI રણજીતસિંહ અને સુધાબેનના લગ્નના 18 વર્ષ થયાં છે. છેલ્લા ઘણા સમયથી PSI બીજા લગ્ન કરવા માટે સુધાબેનને માર મારતો હોવાનો પણ આક્ષેપ પરિવારે કર્યો હતો. જેથી PSIની પત્નીના શકાસ્પદ મોતને લઈને અમદાવાદ પોલીસ અને ગોધરા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવીને મોતનું કારણના રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરાશે.
ઘટના કેવી રીતે બની ?
PSIના કહેવા પ્રમાણે પત્ની સુધાબેન દિકરી સાથે જતા હતા
9 વર્ષની દિકરીને એક્ટિવા પર લઇને નિકળ્યા હતા સુધાબેન
નર્મદા કેનાલના કિનારે સુધાબેનનો અકસ્માત થયો
અકસ્માતમાં સુધાબેન કેનાલમાં પડી ગયા
અકસ્માત વખતે દિકરી કેનાલની બાજુના રોડ પર ફંગોળાઇ
દિકરીએ PSI રણજીતસિંહ સોલંકીને ઘટનાની જાણ કરી
PSI સોલંકીએ સ્થાનિક પોલીસને મોકલી પત્નીનું રેસ્ક્યુ કરાવ્યું
સુધાબેનને ગંભીર ઇજા થતા ગોધરા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા