કોરોનાથી જે લોકોના મોત થયા છે તેમના ડેથ સર્ટિફિકેટમાં જો કોરોનાનો ઉલ્લેખ નહી હોય તો તે લોકોના પરિવારને સરકાર તરફથી સહાય નહી મળે, જેના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
કોરોના મૃતકોના સર્ટીફિકેટને લઈને વિવાદ
અમુક સર્ટીફિકેટમાં કોરોનાનો ઉલ્લેખજ નથી
સર્ટીમાં કોરોનાનો ઉલ્લેખ હશે તોજ સહાય મળશે
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતના હજારો પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હાલજ સરકારે એવું કહ્યું હતું કે જે લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેમના પરિવારને 50 હજારની સહાય આપવામાં આવશે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ ગુજરાતમાં કોરોનાને કારણે 5600 લોકોના મોત થયા હતા.
ડેથ સર્ટીમાં હવે કોરોનાનો ઉલ્લેખ કરવાની મનાઈ
હવે જે લોકોના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ નથી તે લોકોના પરિવારને સહાય મળી શકે તેવું નથી જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આરોગ્યમંત્રી હવે ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જેથી જેમના સર્ટીમાં કોરોનાનો ઉલ્લેખ નથી તેમને સહાય નહી મળી શકે.
સરકાર તરફથી મળનારી સહાય નહી મળી શકે
આપને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોના મોત થયા હતા. પરંતુ તેમાથી અમુક લોકોના ડેથ સર્ટિફિકેટમાં માત્ર બિમારીનું કારણ લખેલું છે. બીજી તરફ આરોગ્ય વિભાગે પણ ડેથ સર્ટિફિકેટમાં કોઈ ફેરફાર નહી કરે. જેના કારણે મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી જે સહાય મળવાની હતી તે નહી મળી શકે.
કોંગ્રેસ નેતાના સરકાર પર પ્રહાર
બીજી તરફ આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોટા આરોપ લગાવતા જણાવ્યું કે કોરોના મહામારી જનતાને બચાવવાના પ્રયાસોને બદલે 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમો યોજ્યા જેના કારણે કોરોના વકર્યો હતો. કોરોનામાં સરકારની કામગીરી નબળી જોવા મળી હતી ક્યાંક કોરોના કાળમાં દવાખાનામાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી તો ઓક્સિજન બોટલોનો અભાવ પણ જોવા મળ્યો,તેમજ પરેશ ધાનાણીએ સાબરકાંઠામાં કોવિડમાં મુત્યુઆંકની વાત ખોટી રીતે રજૂ કરાઈ હોવાના આક્ષેપ સાથેવિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અને આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં તફાવત હોવાનું જણાવ્યું હતું.
અમિત ચાવડાનું મોટું નિવેદન
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન આપતા કોરોનામાં 3 લાખ કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું છે, અમિત ચાવડાએ હાઈકોર્ટની ટકોર બાદ પણ આંકડા છૂપાવવાની રમત ચાલુ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે ગૃહમાં રજૂ કરવામાં આવેલા આંકડા અને આરોગ્ય વિભાગના આંકડાઓમાં વિસંગતા હોવાનું જણાવ્યું હતું સાથે RTIના આંકડા અને સરકારના આંકડામાં પણ વિસંગતતા હોવાનું કહેતા કોરોનામાં સરકારની બેદરકારી લોકોના મૃત્યુ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.