રાજકારણમાં નીતિમર્યાદાનો વર્ષો અગાઉ લોપ થઈ ગયો છે અને નાગરિકો અત્યારે કોઈપણ નેતાઓ પાસેથી તેની અપેક્ષા રાખતા પણ નથી. પરંતુ નેતાઓ દ્વારા ખુલ્લેઆમ જે ભાષા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. કેમકે આમજનતાએ ખાનગીમાં બોલવાના શબ્દો અને જાહેરમાં ઉચ્ચારવાના શબ્દો માટે સીમા નક્કી કરી લીધી છે.
રાજકારણમાં નીતિમર્યાદાનો વર્ષો અગાઉ લોપ થઈ ગયો છે અને નાગરિકો અત્યારે કોઈપણ નેતાઓ પાસેથી તેની અપેક્ષા રાખતા પણ નથી. પરંતુ નેતાઓ દ્વારા ખુલ્લેઆમ જે ભાષા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. કેમકે આમજનતાએ ખાનગીમાં બોલવાના શબ્દો અને જાહેરમાં ઉચ્ચારવાના શબ્દો માટે સીમા નક્કી કરી લીધી છે.
ત્યારે એવા ઉચ્ચારણો જ્યારે જાહેરમાં કરવામાં આવે છે અને શાંતિ ડહોળાય તેવા હેતુથી કરવામાં આવે છે ત્યારે તે જનતાને આંચકો લાગે છે. ઉચ્ચ સ્થાને બિરાજીને સંવાદિતાની વાતો કરતા નેતાઓ દ્વારા જ્યારે વિવાદિત નિવેદનો કવામાં આવે છે ત્યારે તેમનો દંભ છતો થઈ જાય છે.
હજુ થોડા દિવસ પહેલા વડોદરાના વાઘોડિયના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મતદારોને ઠેકાણે પાડી દેવાના કરેલા વિવાદિત નિવેદનના પડઘા શાંત થયા નથી ત્યારે આજે ફરીવાર ભાજપના જ પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાની માનસિકતા અને પ્રકૃતિતો છતી કરી જ છે સાથે કોંગ્રેસને પણ વળતો પ્રહાર કરવાની તક આપી દીધી છે.
કેમકે,સુરતમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો..ત્યાર બાદ તેમણે લોકોને ભાજપને મત આપવા માટે અપીલ પણ કરી હતી. આ મામલે કોંગ્રસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતએ પ્રતિક્રિયા આપી છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતાશ થઈ ગયા છે જેના કારણે આ પ્રકારના નિવેદન આપે છે.
હજુ આ વિવાદ ચાલે છે. નેતાઓ ભાષાસંયમ ચૂકી જાય છે ત્યારે ભોળા લાગતા મતદારો પણ તેનાઓની મનસાને પારખી જાય છે. જે લોકો સંવાદિતા અને સુમેળની વાતો કરે છે તેવા નેતાઓ પણ ચૂંટણી ટાણે જાણી જોઈને એવા શબ્દપ્રયોગ કરે છે જેનાથી વાતાવરણ ડહોળાય અને પોતાના લાભમાં મતોનું ધ્રુવીકરણ થાય. હજુ વાઘાણીના વિવાદિત નિવેદન પર રાજનીતિ ગરમ થઈ છે ત્યારે પણ ખુલાસા કરવાના બહાને જીતુ વાઘાણી મુદ્દાને વધારે ગરમ કરવાની ફિરાકમાં જ જણાય છે. પોતાના પર આરોપ લાગ્યા તો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આરોપો મઢી દીધા.
નેતાઓ એમ માનતા હોય કે વિવાદિત નિવેદનો અને આક્રોશસભર વાણીથી ચૂંટણી જીતી જવાશે તો તેમની માન્યતા ખોટી છે. કેમ કે જ્યારે નેતાઓ આક્રોશની ભાષા વાપરેછે ત્યારે જનતા મનમાં વિચારતી હોય છે કે, નેતાજી નાગરિકોની સમસ્યા પ્રત્યે આટલી આક્રમક ઢબે એક્શન કેમ નહીં લેતા હોય.
જો કે અતિ હમેશા અસહ્ય અને અણગતું જ રહેવાનું આ ન્યાયે કોંગ્રેસ હવે વધારે હુમલા સહન કરવા તૈયાર નથી. એટલે જ સુરતમાં જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં સુરત કોંગ્રેસે જીતુ વાઘાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.
લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય બરાબર ચૂંટણી ટાણેજ નેતાઓના વાણીવિલાસ બેફામ બની જાય છે. આ પ્રકારની મનસ્થિતિ ઊભી થવાનું કારણ ક્યાંક હારનો ડર હોઈ શકે કે લઘુતાગ્રંથિ છૂપાવવા માટેની આ એક રીત હોઈ શકે. પરંતુ ઊંડું વિચારતા એવું લાગ છે કે નેતાઓ કંઈક વિચારીને જ આવો વાણીવિલાસ કરતા હશે. કેમકે પોતાના દિમાગ પર અંકુશ રાખીને જનતાને ભ્રમિત કરવાની કે ઉશ્કેરવાની તેમની પાસે સિદ્ધહસ્ત કળા હોય છે.